SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં પણ એવા આશયનું પ્રતિપાદન કરતાં કવિવર કહે છે કે–પ્રભુ એ ગુણ રત્નની મેટી ખાણ છે, કે જે ખાણમાં એક, બે, સંખ્યાત કે અસં ખ્યાત ગુણ નથી પણ અનંતાનંત ગુણોને વાસ છે. આત્માના અસં. ખ્યાત પ્રદેશોમાં અનંત ગુણને વાસ કેવી રીતે હોઈ શકે એવા પ્રશ્નને અવકાશ મળી શકે છે, તેના પ્રત્યુતરમાં એમ સમજવાનું કે પ્રભુજીના એક એક પ્રદેશમાં અનંત ગુણ સમાએલા છે, તેથી અનંત ગુણોની ખાણ સમા પરમાત્મા બની શકે. ગુણો એ પારકાના માગી લાવેલા અલંકારે નથી, પણ દેની બદી ટળવાથી જ આત્મામાં તેને પ્રાદુભવિ થાય છે. તેમાંય આત્મા પિતાનાજ ભગીરથ પુરૂષાર્થથી ગુણ રત્નની પ્રાપ્તિ કરે છે. તેમાંયવાળી પુણ્યની પરાકાષ્ટા અને ગુણની પરાકાષ્ટાએ પહોંચેલા તારક તીર્થ કરે જ છે. ભવિકપંકજબેધદિવાકર ભવ્યરૂપી કમલને વિકાસ કરવા માટે ભગવાન સૂર્યસમાન છે. રાત્રિમાં અંધકાર પ્રસરે છે અને મર્યાવિકાસીકમલે બીડાઈ જાય છે. પ્રાતઃકાળમાં સૂર્યને ઉદય ક્યારે થાય છે ત્યારે તે કમળને પૂર્ણ વિકાસ થાય છે એટલે ખીલી ઉઠે છે, તેમ ભવ્ય આત્મા એ સૂર્યસમા પરમાત્માને જ્યારે ઉદય થાય, એટલે તેઓનું પવિત્રસાન્નિધ્ય ભવ્ય જીવને જયારે મળે ત્યારે આત્મામાં મિથ્યાત્વરૂપી અંધકારને વિલય થાય છે અને સમ્યકત્વરૂપ આત્મવિકાસ સંધાય છે. આત્માના અભ્યદયમાં પરમાત્મા એ અસાધારણુકારણ છે- “પરમાત્મા એ સમ્યકત્વ આદિ વિકાસમાં કારણ નથી. માત્ર હાજર રહેલ છે. સૂર્યના ઉદયથી કમલને વિકાસ થતું નથી, પણ વિકાસ વખતે સૂર્ય ઉદય હાજર રહે છે.” આમ બેલનાર એ મિયાભાવી અને ઉન્માર્ગ પ્રરૂપક તરીકે સિદ્ધ થાય છે. ઉપર જણાવેલા વિશેષણોથી વિભૂષિત એવા શ્રી જિનેશ્વર દેવને હું રાજ નમસ્કાર કરું છું. જિનેશ્વર એટલે જિનમાં ઈશ્વર. જિન એટલે રાગ ને જિતારા સામાન્ય કેવલી. અરિહંત પરમાત્મા કેવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy