________________
*
[ પ ] મંદિરની સંસ્કૃતિ
યુરોપિયને સૌ પ્રથમ વખત ભારત આવ્યા ત્યારે તેઓ આ દેશને બાવાઓ (સંન્યાસીઓ)ના દેશ તરીકે અને દેવળ (મંદિર)ના દેશ તરીકે ઓળખવા લાગ્યા. મંદિરની સંસ્કૃતિને અદ્ભુત ખજાને આ દેશની ધરતી ઉપર કે અભૂતપૂર્વ રીતે છવાઈ ગયેલું છે?
જે મંદિરના શિલ્પ સ્થાપત્યને નીહાળવા પરદેશીઓ ગાંડા ઘેલા બનીને અહીં દોડી આવે છે એ મંદિરના નિર્માતાઓ અને પૂજકે બિલકુલ ગાંડા ઘેલા ન હતા, બલ્ક સાચા વૈજ્ઞાનિક હતા. આજે એ વિજ્ઞાન ઘણું ખરું લુપ્ત બન્યું છે, છતાં ય મંદિરે અને એનું સ્થાપત્ય, એની સાથે સંકળાયેલા પૂજા-ભક્તિ અને વિધિવિધાનથી ભરેલા ક્રિયાકાંડમાં જે અદ્દભૂત વૈજ્ઞાનિક ખજાને ભર્યો છે તેને પરિચય આ વિભાગ દ્વારા કરાવવામાં આવશે. ક્રિયાકાંડે અને વિધવિધાનનું કરવામાં આવેલું આયેાજન સહેજ પણ નિરર્થક નહિ હોવાની પ્રતીતિ એનાથી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com