________________
અંગુલિ નિર્દેશ |
નંબો
ભૌતિક સમૃદ્ધિની દિશામાં આશ્ચર્યકારક કહી શકાય તેવી વિશ્વની પ્રગતિ છતાં માનવજીવનમાં સામાન્ય સુખશાંતિની વાત તો બાજુ પર રહી ગઈ છે અને નાની મોટી અનેક વિટંબણાઓ સામાન્ય જનજીવનમાં ઘેર પીડા આપી રહી છે, ત્યારે એમ નથી લાગતું કે મનુષ્યજગત એની મંજિલ ચૂકી ગયું હોય?
ભૌતિક સમૃદ્ધિની ટોચની પ્રાપ્તિમાંથી આપણે ખરેખર શું મેળવવા મથીએ છીએ? એ આપણને ખરેખર મળે છે ખરું? એ મેળવવા જતાં આપણે જીવનના મૂળભૂત આનંદને શા માટે ગુમાવી રહ્યા છીએ? જીવનમાં અવનવી સમસ્યાઓનું સજન આપણે શા માટે કરી રહ્યા છીએ કે જે સમસ્યાઓના ઉકેલને કેઈ માર્ગ પણ આપણી પાસે ના બચે? આપણે. સમસ્યાઓની વિષલત્તાઓને આપણે ચારેબાજુ ગૂંથીને એમાં કેવા ફસાઈ ગયા છીએ?
જ્ઞાનના નામે અજ્ઞાનને પ્રસાર, આગ્ય સેવાના નામે નવા નવા રંગેનું સર્જન, ઉદ્યોગેના નામે જ બેકારી, સગવડના નામે જ અગવડ, વિશાળ મકાને અને બિલ્ડીંગના નામે જ સાંકડી જગ્યાઓમાં કે ઝૂંપડપટ્ટીમાં નિવાસ અથવા ઘરવિહેણી સ્થિતિમાં જીવન, ચંદ્રયાત્રા કે અવકાશી પદાર્થોનાં સંશોધનના નામે શસ્ત્રોનું નિર્માણ અને પ્રગ, શિક્ષણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com