SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટતા. ઇશ્વર તે ઘણાયે પણ હા-એક બીજી સમજુતી આપું. એકવા અનેક રૂપે કદાચ બીજાં તત્વજ્ઞાને માનતાં હશે પણ જેન તત્વ ન તો માને છે કે અનેકનું એક રૂપ. સિધ્ધોમાં આઠ ગુણ હોય છે. ચાર ઉપર કહ્યા છે અને બીજા ચાર તે આ–અગુરુલઘુત, અવગાહનત્વ, સુક્ષ્મત્વ અને નિરાબાધત્વ. આ ગુણે પર જરી વિચાર કરી જઈશું તો ખબર પડશે કે અનેક કર્મ રહિત આત્માઓથી એક કર્મ રહિત આત્મા બની શકે કે નહિ. આમ થવાથી યે કંઈ સ્વરૂપ નંહના હેટાં થતાં નથી. સ્વરૂપ અને કદની કંઈ નિશ્ચીત હદ નથી. તે ગમે તે હોઇ શકે. માન્યતાઓમાં આમ જરીકજ – બરાબર સત્ય રૂપે સમજવા મનુષ્ય પ્રયત્ન કરે તો તે એકજ.. " જેનોએ આત્માના અંતિમ સ્વરૂપને ઈશ્વર કહ્યાં. હેનમાં સઘળી શક્તિઓ સોંપી. ઇશ્વર શક્તિ વાપરતો જ નથી. જેન મંતમાં કોઈને પણ જગત ઉત્પન્ન કરવાની કે જગતને મારી નાખવાની કુલ સત્તા નથી આપવામાં આવી. જેનેને ઈશ્વર ફક્ત આદર્શરૂપ ધ્યાન ધરી પ્રેરણા મેળવવા માટે જ. આ જમાનામાં જો ધર્મ એ હાસ્યાસ્પદ લાગતો હોય તે તે કશ્વર સત્તાની અજબ માન્યતાઓને લીધેજ. છ દિવસમાં પ્રભુએ જગત બનાવ્યું એ જેટલું વિચીત્ર લાગે છે તેટલું જ વિચીત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું કાર્ય કવિ પણ લાગે છે. જૈનમત પ્રમાણે ઇશ્વર બનતા જ જાય છે. શરૂઆતને ઇશ્વર કિાણ હેની ચોક્કસ તારીખ તે નથી દર્શાવો. આમ અનાદિ કાળચીજ ચાલતું આવે છે. એકજ મૂળ ઇશ્વર નવા નવા અવતારો લે તે જૈન મત કદી કબૂલ નહિ કરે. કારણ જૈન મતના તે કર્મ રહિત આત્માને ફરીથી કર્મ લાગી શકે જ નહિ અને પેલાં ક્રિયા પરિણામો નહિ હોવાથી સંસારમાં તે આવી શકે જ નહિ. ઘણા ઇશ્વર માનવામાં જેનેને કંઈ વાંધાજ નથી. કારણ તેથી તેઓ દરેકને-દરેક મનુષ્યને એવી શક્તિ આપે છે, એવું ભાન કરાવે છે, કે તેજ જગતમાં મહાન. તેજ જગતને પ્રભુ આત્માના આવરણને કહાડી નાખવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034894
Book TitleJainattva
Original Sutra AuthorN/A
AuthorRamnik V Shah
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1938
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy