SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ જગન્નાથપુરી : ૫૬૦ : || જૈન તીર્થોને અનેક ગુફાઓ છે. ચેડાં વર્ષો પહેલાં અહી ઘણી તાંબર જૈન મૂતિઓ હતી કિન્તુ છે. સમાજની બેદરકારીને લીધે બધુ અવ્યવસ્થિત છે, આચાર્ય સુસ્થિતસૂરિ અને સુપ્રતિબધ્ધ સૂરિજીએ અહીં કડવાર સૂરિમંત્ર જાપ કર્યો હતો. તેમને સ્વર્ગવાસ પણ અહીં થયા હતા. તેમના સ્મારક સ્તૂપો પણ હતા. કુમારગિરિમાં જિનકલ્પી અને સ્થવિર-કપી સાધુઓ રહેતા હતા. પ્રખ્યાત હરિતગુફા અહીં જ છે. તે જૈન મહામેઘવાહન રાજા ખારવેલ શિલાલેખ અહીંથી મળે છે. જગન્નાથપુરી. ઓરીસામાંનુ પ્રાચીન જૈન તીર્થ છે. મહાપ્રભાવિક વળવામી ઉત્તર પ્રાંતમાં દુકાલ પડવાથી સંઘ સહિત અહીં પધાર્યા હતા અહીંના બૌધધમી રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધી જેન બનાવ્યા હતા. અહીં જીરાવલા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર હતું પરંતુ શંકરાચાર્યજીના સમયે ત્યાંના રાજાએ બલા ત્યારથી તે મંદિર પિતાને કજે કર્યું. જો કે આજ પણ જગન્નાથપુરીમાં ન મૂર્તિ છે. ત્યાં દર બાર વર્ષે ખોળું નવું ચઢે છે. જેન તોથના સ્મરણરૂપ અહીં બ્રાહ્મણે પણ જાતિભેદ નથી ગણુતા, કલકત્તાથી મદ્રાસ રેલવેમાં B. N. Ry. પુરો રટેશન છે. જેનપુર આ શહેર કાશીથી ૩૪ માઈલ દૂર છે. આ શહેરનું પુરાણું નામ જૈનપુરી હતું. અહીં એક વાર જૈન ધર્મનું પૂરેપૂરું સામ્રાજય હતું. ગેમતી નદીના કિનારે અનેક જૈન મંદિરો હતાં. અહીંથી દાણકામ કરતાં અનેક જન મૂતિઓ નીકળે છે. આમાંની ઘણીખરી મૂર્તિએ કાશીના જૈન મંદિરમાં છે. અહી એક વિશાળ મચ્છદ છે જે ૧૦૮ કુલિકાનું વિશાલ જિનમંદિર હતું. એ ગગનચુખી ભવ્ય જિનમંદિરની આ મરજીક બની છે. મુગલ જમાનામાં આ મંદિરને નાશ કરીતેમાં ફેરફાર કરી તેને માજીદના રૂપમાં ફેરવી નાખેલ છે. બહારના ભાગમાં ઘણે ઠેકાણે વધુ પડતા સુધારાવધારા પણ કરેલ છે. પરંતુ અંદર તે જિનમંદિર નો ઘાટ સાફ સાફ દેખાય છે. અંદર એક મોટું લેયરૂં છે જેમાં અનેક ખંડિત અખંડિત જિન મર્તઓ છે. મંદિરને ઘાટ અને શિલ્પકામ હેરત પમાડે તેવું છે. લગભગ ત્રણ માળનું જિનમંદિર હશે એવી કલ્પના આવે છે. એક બે મુસલમાનેને પૂછયું કે આ રથાને પહેલાં શું હતું ? તેમણે કહ્યું “એ બડા જેની કા મંદિર થા, બાદશાહને તુડવા કર મરજીદ બનવાદી હવે એક બે બ્રાહ્મણ પડિતને પૂછયું કે અહી પહેલાં શું હતું? તેમણે કહ્યું “આ શહેરનું નામ પહેલાં જેનપુરી હતું. તેમાંથી નાબાદ, જૈનાબાદ, જેનાબાદ અને આખરે જોનપુર થયું છે.” આ પ્રાંતમાં આવું વિશાલ મદિર આ એક જ હતું. આગ્રાથી લઇને ઠેઠ કલકત્તા સુધી આવું વિશાલ મંદિર અમારા જેવામાં નથી આવ્યું. અહીં હજારે જેનોની વતી હતી. આજે એ પણ જેનનું ઘર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy