SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ જીનું દેરાસર જેને કરણ પ્રાસાદ પણ કહે છે, તે સિદ્ધ રાજના પિતા કરણ રાજાએ બંધાવેલ છે. ગીરનારજીને રેવતાચલ પણ કહે છે. આવતી ચોવીશીમાં બાવીસ તીર્થંકરે આ ગિરનાર પર્વત ઉપર અણસણ પૂર્વક મુક્તિપદને વરશે. શ્રી નેમનાથ તીર્થકર ગિરનાર ઉપર ઘણું વખત સમવસરેલા છે. તેમણે દીક્ષા પણ ગિરનાર પર્વત ઉપર સહસાવનમાં લીધેલી છે. નેમીનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી તે અરસામાં જ મનુષ્યમાંથી વ્યંતર લોકમાં મહર્થિક દેવી બનેલી છે. તે જમાનામાં કેડીનાર (કુબેરપુર) માં સેમભટ નામે બ્રાહ્મણ હતા. તેને અંબિકા નામે સ્ત્રી હતી. તે મહા પવિત્ર સતી તેમજ જૈનધર્માનુરાગિણી હતી. એકદા માસક્ષમણના ઉપવાસી કોઈ બે સાધુ તેને ત્યાં પધાર્યા, તે દિવસે રસાઈ પણ સારી હતી ને તેની સાસુ પાડોશીને ત્યાં ગયેલી હોવાથી અંબાએ સાધુઓને ભાવથી વહેરાવ્યું, સાધુઓ વહારી ગયા પછી તેની સાસુ આવી, તેણું અને અંબાનો વર મીથ્યાત્વી હોવાથી સાધુઓને વહેરાવ્યાની ખબર પડવાથી અંબિકાને બહુ સતાવી, જેથી અંબિકા ઘરમાંથી નીકળી ને જંગલમાં ગઈ. તેના જવા પછી પાછળથી સાધુઓને દાનના પ્રભાવથી ઘરમાં કાંઈ લક્ષ્મીને લાભ થયેલે દેખી સમભટ્ટ અંબિકાને સંભારતે તેને ( અંબિકાને ) શોધવા ચાલ્યું. અંબિકાએ તેને જોતાંજ વિચાર્યું કે એ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy