SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૧૬૧ ગયાજી ભદ્દીલપુર તીર્થ ( વિચછેદ ). બાંકીપુર જંકશન સ્ટેશને ઉતરીને બીજી રેલવેમાં બેસીને ગયાજી જવું, ત્યાં ધર્મશાળા છે ત્યાંના લોકો તેને સરાઈ કહે છે. અહીંથી ભાલપુર પંદર–સોળ ગાઉ થાય છે. ત્યાં ગાડી જાય છે, જ્યાં ગાડી જવાના રસ્તે નથી ત્યાં ફક્ત પગદંડી છે. ગયા જીલ્લામાં હટવરીયા નામે ગામ છે. તેને ભીલપુર ગણેલું છે. પં. સૈભાગ્યવિજય જેને તારા કહે છે. તે ગામ હટવરીયાથી દક્ષિણમાં ચાર પાંચ માઈલ દૂર છે. તેમના સમયમાં આ દુતારા (દંતારા) ને ભદ્દીલપુર માનતા હતા. અહીં કેટલીક પ્રાચિન મૂર્તિઓ તથા ખંડીયરે છે. એજ એની પ્રાચિનતાનાં સ્મરણચિન્હ છે. આની પાસે એક પહાડ છે. આ પહાડજ ખરૂં ભદોલપુર તીર્થ કહેવાય છે. અહીંયાં દશમા શીતલનાથ ભગવાનનાં મોક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. પંડિત સૈભાગ્યવિજયના કથન પ્રમાણે ભીલપુરને પર્વત કહેવાય છે, જયાં પર્વત ઉપર પાશ્વનાથજીનાં પગલાં છે, અને એક ગુફામાં સફણું પાશ્વનાથની મૂર્તિ છે. પાસે એક સરોવર છે, પર્વતની પાસે જ દેતારા (તારા) ગામ છે, જેને ભદ્દીલપુર નગર કહે છે. ત્યાં શીતલનાથનાં ચાર કલ્યાણક થયાં છે. હાલમાં તે ફકત ક્ષેત્ર ફરસના છે. કઈ સાહેબ ન ધણયાતું સ્થાનક જાણુને પ્રથમ મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy