________________
श्रीवर्द्धमानपुरीमंडन श्रीआदिनाथाय नमो नमः ॥ શ્રી આનંદચંદ્ર હંસ જૈન રત્નમાલા રત્ન આઠમું” નવામતના પ્રચારનું સચોટ નિરસન
લે મુનિ હંસસાગર વઢવાણ સીટી. તા. ૧ ૮-૫૭ આ ણે શ્રી દેવસૂર તપગચ્છ સમસ્તસંઘ, આ વાતમાં તે સર્વસંમત છે કે-“આપણા ધર્મપ્રિય સમાજમાં છેલ્લા વીસ વર્ષથી ધમવર્ગને પીડતા કલેશનું મૌલિક મૂળ, સં. ૧૯૯૨ના શ્રાવણમાસે મુંબઈ લાલબાગમાંથી શાસ્ત્ર અને પરંપરાથી સદંતર વિરુદ્ધ નીકળેલ ન નિયિમત છે કે-જે મત, પિતાના ગુરુઆદિનીય સલાહ અને સંમતિ લીધા વિના આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ સ્વેચ્છાએ કાઢેલ છે. તે મતમાં આ. શ્રી વિજલબ્ધિસૂરિજી અને આ શ્રી વિપ્રેમસૂરિજી તે પાછળથી અને શરજોરીના પરિણામે ભળ્યા છે, અને પરવશ ગણાતા ભોળા વયોવૃદ્ધ આ શ્રી સિદ્ધિસૂરિજી મ તે રહી રહીને ૧૯૯૬માં ભળી જવાની સ્થિતિમાં મૂકાએલા છે. એટલે કે-શિવે મત કાવ્યો અને ગુઆદિ વડિલેએ તેને માન્યો! એવો અવળી ગંગા સમો તે વિચિત્ર મત છે.
આ. શ્રી વિજયરામચંદ્રસૂરિના તે મતને શાસનપક્ષે અનેક વખત નિર્મળ કરાવી આપેલ છે, એ જગપ્રસિદ્ધ હકીકત છે, છતાં પોતાના તે નિરાધાર કરેલા મતને ય સાચે લેખાવવા સારૂ તેઓશ્રી “હાયો જુગારી બમણું રમે' એ ઉક્તિ અનુસાર સમાજમાં વારંવાર જૂઠાં સાહિત્યો, બહાર પાડતા જ રહ્યા છે, તે ખેદજનક છે. તેઓ તરફથી તાજેતરમાં પણ પ્રથમ મુંબઈ સમાચાર તા. ૧૩–૧-૧૭ માં કોઈ
ડી. સી. કાપડીયા'ના નામે એક લેખ જાહેર થયેલ છે. તે લેખમાં સંવત્સરી અંગે અનેક અસંબદ્ધ વાતો પ્રગટ કરવામાં આવી છે. તે પછી વળી એ જ લેખનું શીર્ષક પલટીને, તે લખાણને ત્રણગણું વધારીને અને તેના લેખકનું પણ “ડી. સી. શાહ, કીંગ સરકલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com