________________
વિનંતિનો સ્વીકાર થતાં પહેલા સંઘને આવા શાસ્ત્રીઓના પગાર વગેરેના મેટા ખર્ચે કબુલી લેવા પડે છે એટલે મને કે કમને આંગણે ધોળો હાથી બાંયા જેવી સ્થિતિ થઈ પડે છે. ગ્રામાનુગ્રામ વિહાર દરમીયાન ઉપદેશધારા વહેતી મુકવાની તેમને અનુકુળ તક સાંપડતી હોવાથી તેમજ સામાન્યરીતે ગમે તેવા શકિતશાળી ગૃહસ્થ કરતાં મુનિ મહારાજના ઉપદેશની અસર સમાજના મહાટા ભાગ ઉપર તે કંઈક ચમત્કારો અને અદભૂત જ થઈ પડે છે. તેમને પડયો બોલ ઝીલી લેવાને અનેક ભકતજનો ખડેપગે તૈયાર જ હોય છે. ધીમે ધીમે એક બીજાને સહવાસ વધતાં આ સંબંધ એવા પાટે ચડી જાય છે કે પ્રખર વકતા કે વાચાળ ઉપદેશકના દષ્ટિરાગી ભકતજનનું મંડળ મેટા મોટા શહેરોમાં સ્થપાઈ જાય છે અને તેમાં પછીથી બીજા કોઈને ગજ વાગતો નથી. સમાજમાં એ વર્ગ હજુપણ અસ્તિત્વ ધરાવતો જણાય છે જે એવી મનેદશા ધરાવતું હોય છે કે -સૂરિ–મહારાજ માથે હાથ મુકે એટલે તેના નસીબ આડે રહેલ પાદડું ખસી જાય અને પોતે લખપતિ થઈ પડે.
જેનેતર સમાજના સાધુ વર્ષ કરતાં અનેક દૃષ્ટિએ આપણે સાધુ વર્ગ ઉંચી કક્ષામાં રડી શકયો છે અને તેથી જ સમાજ ઉપર અગ્રેપર તરીકે તેમનો કાબુ અને પકડ હજુ બરાબર જળવાઈ રહ્યા છે. તેમના તરફની શ્રાવક સમુદાયની માનવૃત્તિ અને ભકિતમાં પણ કંઈ ઉણપ જણાતી નથી. વળી સદ્દભાગ્યે પ્રખર શકિતશાળી. વિદ્વાન
અનુભવી અને કાર્યદક્ષ સાધુ વને જૈનધર્મ અને જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com