SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ., કરી લેવા જોઈએ. આવા અભ્યાસથીજ સમાજમાં પ્રવતી રહેલ નિયતા, અંધાધુંધી, કદાગ્રહ પૂર્વકના પક્ષભેદોના સવિશેષ પ્રચાર માટેનાં તનતોડ પ્રયાસ, અનેક પ્રકારના સામાજીક જટીલ પ્રશ્નોના ઉકેલ માટેની અક્ષમ્ય ઉપેક્ષાવૃત્તિ અને બેદરકારી, ક્ષણે ક્ષણે પલટાતા સમયના પરિવર્તનને અને કાળ-બળની શકિતને યથાર્થ સ્વરૂપે ઓળખવાની શકિતમાં ઉણપ, પ્રત્યેક વ્યકિતની સમાજ પ્રત્યેની વધતી ઓછી જવાબદારી અને આવશ્યક ફરજોની બાબતમાં કેવળ ઉદાસીનતા ઉપેક્ષાવૃત્તિ, પરાકાષ્ઠાએ પહોંચેલ લાંચ રૂશ્વતની અને કાળાબજારીયા પ્રવૃત્તિમાં દિનરાત રોકાઈ રહેતા સ્વાર્થ નિષ્ઠબંધુ જનની સંખ્યામાં થતી જતી વૃદ્ધિ, સાચા માગે તેમજ પરમ લાભદાયી રીતે થઈ શકતા યથાર્થ સ્વરૂપના સ્વામીવાત્સલ્યનું હાર્દ સમજવાની અશકિતઅનિછા યાતો સંકુચિત મનોદશા, કહેવાતા આગેવાનોની ખાલી વાહવાહ અને કિતિના ગાનથી સાતેષાતી હીન મનવૃત્તિના કારણે નિષ્કિયતા યાતે અર્થહીન પ્રવૃત્તિ, ભરતામાં ભરતી થયે જાય તે રીતે હજુ પણ વહેતે રહેતે દાન પ્રવાહ વગેરે અનેક પ્રકારની ત્રુટીઓને અને ઉણપને સાચો ખ્યાલ આવી શકે તેમ છે અને તે તમામ ત્રુટીઓ હરકોઈ ઉપાયે આપણે દૂર કરવાની જ રહે છે તે સિવાય એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. વ્યવહાર કુશળ-વિચક્ષણ નીરીક્ષક સહેલાઈથી જોઈ શકે તેમ છે કે આપણે આધુનીક જૈન સમાજ, સંખ્યા બળની તેમજ ગુણવત્તાની (quantity and quality) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034875
Book TitleJain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Original Sutra AuthorN/A
AuthorNyalchand Lakshmichand Soni
PublisherYashovijay Jain Granthmala
Publication Year1952
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy