SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ સરહદ બહાર મારી હાજરીની જરૂર છે. એમ કરવા માટે ગમે તે જોખમે મારે ઉઠાવવાં પડે, તા એ ઉઠાવીને પણ મૈયાને સાદ મારે ઝીલવા જોઈએ. કર્તવ્યપાલન કરતાં કરતાં મૃત્યુ આવે તે તેને પણ વધાવી લેવાની શક્તિ મારામાં છે કે નહિ તેને નિશ્ચય કરતાં મને ત્રણ મહિનાઓ લાગ્યા. એ ત્રણ મહિના મેં પ્રાર્થના અને ધ્યાનમાં જ વિતાવ્યા. હિંદમાંથી સટકી જતાં પહેલાં પ્રથમ તો મારે કારાવાસમાંથી સટકવાનું હતું. અને એ કાર્ય સિદ્ધ કરવા માટે મારે ભૂખહડતાળ ઉપર ઊતરવું પડયું, મારી મુક્તિની માગણી કરીને હું જાણુતા જ હતા કે હિંદમાં શું કે આયર્લેન્ડમાં શું, બ્રિટને પેાતાના રાજકેદીને એવી રીતે છેડયા જ નથી. હું એ પણ જાણુતા હતા કે બ્રિટન ઉપર આવું ખાણુ લાવવા જતા, આયર્લૅન્ડમાં ટેરન્સ મેસ્વીની અને હિંદમાં જતીનદાસ જેવાને પ્રાણતા પણ ભાગ આપવા પડયા હતા. પણ મારું' અંતર મને પોકારી પોકારીને કહેતું હતું કે તિહાસપુરુષે તારા માટે એક ખાસ કાય` નિર્માણુ કરીને રાખ્યું છે. એટલે મેં ભૂસ્કા માર્યાં અને સાત દિવસની મારી ભૂખહડતાળ પછી દિની બ્રિટિશ હકૂમત કાઈ અણુધારી રીતે જ, વ્યગ્ર થઈ ગઈ. હમણાં તે એને જવા દો, પછી મહિને બે મહિને કયાં નથી પડી શકાતા 1. એવા નિરધાર કરીને એણે મને જેલમાંથી બહાર કાઢયેા. પણ ફરીથી તે મારા ઉપર હાથ નાખી શકે તે પહેલાં તે હું સ્વતંત્ર થઈ ગયા... “ મિત્ર ! તમે જાણાજ છે કે ૧૯૨૧માં મેં યુનિવરસિટિનું શિક્ષણ પૂરું કર્યું" તે પછી તે ઠેઠ આજ સુધી હિંદની આઝાદી-લડતમાં હું લગભગ સક્રિય ભાગ લેવા જ રહ્યો છું. છેલ્લા બે દાયકાઓમાં જેટલાં સત્યાગ્રહના આન્દોલનો થયાં, તે બધામાં હું હતા. ઉપરાંત, અનેકવાર, મને કાઈપણુ જાતની અદાલતી કારવાઇ વગર પકડીને જેલમાં પૂરવામાં આવ્યા છે. મારા ઉપર વહેમ હતો કે અશસ્ર કે શસ્ત્ર કઈ તે કાર્ય ગુપ્ત ક્રાન્તિવાદી આન્દોલન સાથે મારા સંપર્ક છે. આ બધા અનુભવને અંતે હું એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે હિંદની ધરતી ઉપર રહ્યા રહ્યા અમે જે કઈ કરીશું તે બધું જ બેકાર બનશે. તેટલા માત્રથી જ બ્રિટિશરાને હિંદની ધરતી ઉપરથી હંકારીને કાઢી મૂકી નહિ શકાય. “ટૂંકામાં, હિંદમાંથી બહાર ચાઢ્યા જવામાં મારા આ જ આશય હતો. દર ચાલી રહેલી આઝાદી લડતને બહારની લડતથી વધારે મજબૂત બનાવવી. ખીજી તરા, હિદને જે બહારની મદદની ખરેખરી જરૂર છે. તે બહુ જ સ્વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy