SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ કિનલ છે. ઉપર આરોપ છે એ મુકવામાં આવ્યું છે-એમના તરફથી એ બ્રિટિશ જાસૂસ છે. છટ ! હિંદી સૈનિકોને બ્રહ્મદેશ મોકલવામાં આવે એ સામે કારોબારીએ જાહેર રીતે વિરોધ ઉચ્ચાર્યો છે. એક પણ હિંદીને એ બ્રહ્મદેશ ચડાવવા નથી માગતી.... ડિસેમ્બર ૧૩, ૧૯૪૨ પેલું લશ્કરી જહાજ બ્રહ્મદેશ પાછું ફર્યું-ખાલી. જાપાનીઓને મનસૂબો ચદગ્રામ અને બંગાળ ઉપર એક મોટા પાયા ઉપરનું આક્રમણ શરૂ કરવાને હતો. સંધના આ પગલાંએ તેમણે આ યોજનાને ઊંધી વાળી-એમ સંભળાય છે. આવું આક્રમણ શરૂ કરીએ તે પહેલાં અમને યોગ્ય ખેળાધરી જાપાનીઓ તરફથી મળવી જોઈએ. એ ન મળે, તે તો હિંદી આઝાદીના મૃત્યુખત ઉપર હસ્તાક્ષર કરવા જેવું થાય. એક માલિક જાય અને એને ઠેકાણે બીજે ભાવે. ગેરાને બદલે પીળ માલિક આવે એવું અમે ઓછું જ ઈચ્છીએ છીએ! અમારે તે જાપાનીઓ તરફથી પ્રતિજ્ઞાપૂર્વકની જાહેરાત જોઈએ છે કે હિંદ સ્વતંત્ર અને મુક્ત રહેશે. * કર્નલ અને તેમની સાથે મસલત કર્યા વગર જ પરબારા પકડી લીધા એ - બાબત કારોબારીએ વિરોધ ઉઠાવ્યા છે. કિકાનની દખલગીરીના વિરોધરૂપે આખી કારોબારીએ રાજીનામું આપી દીધું છે. અમારા પ્રમુખ શ્રી રાસબિહારી બેઝ જાપાન પહોંચવાના સાધને શોધી રહ્યા છે. એમની મરજી ટેકિયોમાં જનસ્ય ટોને અહીંની આંટીથી વાકેફ કરવાનું છે. દરમ્યાન આખાયે પૂર્વ એશિયામાં સંધની શાખાઓએ પિતાપિતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખવી એવી ઈચ્છા એમણે દર્શાવી છે. જાપાની સૈન્યના સત્તાવાળાઓ સાથે હાલ તરતને માટે તેમણે એવી ગોઠવણ કરી છે કે ટાકિયેમાંથી તેમના ઉપર કે સંદેશ ન આવે ત્યાં સુધી અત્યારનો પરિસ્થિતિ વધુ બગડે એવું કોઈપણ પગલું તેમણે ન ભરવું. સંધની મલાયા શાખાએ શ્રી. રાસબિહારીની આ સલાહને માન્ય રાખી છે એક શરતેઃ “આન્દોલનનું સામાન્ય કામકાજ હમેશની પેઠે ચાલુ રહેશે; પરંતુ કઈ પણ ખાસ પગલું તે, જાપાની સરકાર તરફથી ૫ ખોળાધરી જર થયા પછી જ લેવામાં આવશે.” 2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy