________________
આદિવચન.
રા. દામે દર લમીશંકર ત્રિવેદીને હિંદુ અને મહમેડન લો સરળ ગુજરાતી ભાષામાં લખી પ્રસિદ્ધ કરવાને આ પ્રયાસ ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે. આવા હિંદુ અને મહમેડન લેના સંયુક્ત પુસ્તકની ખરેખર આવશ્યકતા હતી, તે લેખકે ઉપયેગી રીતે પૂરી પાડી છે.
લેખકે હિંદુ અને મહમેડન લોના દરેક અગત્યના વિષયના મૂળ સિદ્ધાંતે બહુ સુંદર રીતે તારવી કાઢી ઉત્તરેત્તર સૂત્ર તરીકે ઘણું સરળ અને સામાન્ય વર્ગ પણ સહેલાઈથી સમજી શકે તેવી ભાષામાં લખ્યા છે.
ઘણીવાર આ વિષય ઉપરનાં મેટા અને આધારભૂત જે પુસ્તકે ગણાય છે તેમાંની વારંવાર મુંઝવણમાં નાખે તેવી ટીકાઓ અને એક બીજાથી અથડાતા અને નહિ સમજી શકાય તેવા જુદી જુદી હાઈકેટેના મતભેદવાળા ફેંસલાઓ એક બાજુ રાખી લેખકે ફક્ત અગત્યના ફેંસલાઓજ દરેક સૂત્ર અને સિદ્ધાંતના આધાર તરીકે આપ્યા છે, તેથી બીજા પુસ્તક વાંચતા ઘણીવાર જે ગોટાળો પેદા થાય છે તે આ પુસ્તક વાંચવાથી થતું નથી, અને દરેકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com