SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળના જૈનધર્મ સ્વીકાર પરત્વે હેમચંદ્રનાં વક્તવ્યો. કુમારપાળના જૈનધર્મના સવીકારસંબંધી આ જૂદી જુદી દંતકથાઓની સરખામણી કરતાં મેરૂતુંગે જે અહેવાલ લખે છે તે ઘણા ચાતુર્યથી ઘડાયેલ છે અને તેનું નિરૂપણ ઘણું અસરકારક છે તેમ લાગે તેની ના કહી શકાય તેમ નથી. એ વર્ણન સ્વાભાવિક લાગે છે. બ્રાહ્મણે તરફથી થયેલા અપમાનને પરિણામે હેમચંદ્ર પિતાનું સ્વાતંત્ર્ય (પિતાની ઉપેક્ષા) છે દેવાને અને રાજાને આશ્રય લેવાને વિચાર કરે એ આખી હકીકત તદન બનવાજોગ લાગે તેવી છે. કુમારપાળ રાજાને થડા વખત સુધી જૈન ધર્મના અગત્યના નિયમ લેવા માટે તે સમજાવે છે અને છતાં રાજાની શિવ તરફથી ભક્તિમાં તે અડચણ કરતા નથી કે આડા આવતા નથી; એટલું જ નહિ પણ એ સંબંધમાં એને ખાસ ઉત્તેજન આપે છે. એને અંગે લીધેલ અતિ ચાતુર્યમય માર્ગ, એ રાજદરબારમાં એની વિષમ સ્થિતિનું સીધું પરિણામ હતું. આ (મહાદેવ તરફના) રાગ અને સ્વીકારવાને આભાસ અને ગમે તે પ્રકારે રાજાને પિતાને બનાવી લેવાનું કાર્ય અને ત્યારપછી ગ્ય પ્રસંગ પ્રાપ્ત થઈ જતાં તેને લાભ લેવાની આવડત–આ સર્વ વાત માનવા ચાગ્ય લાગે છે. અને જૈન પાદરીઓ (ઉપદેશક) ની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy