SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વાળ આવી પહોંચે ત્યારે ઉદયન જેન ઉપાશ્રયમાં ગયે હતું, તેથી કુમારપાળ ત્યાં ગયે. ત્યાં એ હેમચંદ્રને મળ્યો. હેમચંદ્ર તુરત ભવિષ્યવાણી કહી કે કુમારપાળ આખી દુનિયાપર રાજ્ય કરનારે રાજા થશે. કુમારપાળે એ ભવિષ્યવાણું માનવાની ના પાઠ એટલે હેમચંદ્ર એનું ભવિષ્યકથન લખી નાખ્યું. એની એક નક્કલ રાજમંત્રી ઉદયનને આપી અને બીજી નકલ કુમારપાળને સ્વાધીન કરી. તે વખતે કુમારપાળે કહ્યું-“જે આ ભવિષ્યવાણી સાચી પડશે તે ખરા રાજા તમે થશે અને હું તે તમારા ચરણની રજ થઈને રહીશ.” હેમચંદ્ર જવાબમાં કહ્યું કે-“પતે રાજ્યને માટે કઈ પણ પ્રકારની પરવા કરતા હતા નહિ પણ કુમારપાળે પિતાનું વચન જરૂર યાદ રાખવું. ભવિષ્યમાં પોતે કૃતજ્ઞ છે એમ બતાવી આપવું અને જેનામતને સ્વીકાર કર.” આટલી વાત હેમચંદ્ર કહી. ત્યારપછી ઉદયનને ઘેર કુમારપાળને ઉત્તમ ભજન અને પાન મળ્યાં અને મુસાફરીના ખર્ચ માટે જોઈતા પિસા પણ તેની પાસેથી મળ્યા. ત્યારપછી કુમારપાળ માળવા ગયેલ અને જયસિંહના મરણ સુધી ત્યાં રહ્યો. જયસિંહ મરણ પામ્યું ત્યારે તે અણહિલવાડ પાછા આવ્યું. એના બનેવી કહાનદેવ, જેનું લશ્કર લડાઈ માટે તૈયાર હતું તે, કુમારપાળને રાજદરબારમાં લઈ ગયે અને તેની સહાયથી કુમારપાળની રાજા તરીકે પસંદગી પાર ઉતારવામાં આવી. ૧૭ જિનમંડન હેમચંદ્ર અને કુમારપાળને ઘણા વહેલા એકઠા કરે છે. તેઓ એમ જણાવે છે કે જયસિંહ રાજાએ એના ઉપર હેરાનગતિઓ કરવા માંડે અને ત્રાસ આપવા માંડ્યો તેની ઘણા વખત અગાઉ એક વખત કુમારપાળ જયસિંહ રાજાને નમન કરવા માટે તેના દરબારમાં ગયા. ત્યાં તેણે જયસિંહ રાજા પાસે બેઠેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy