SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૭) જીવતાં જ મરક્રિયા કરી લેવાને તેને ઉપદેશ આપે. આ પ્રમાણે એણે કહ્યા પછી “ શરીરના દશમા દ્વારેથી એને પ્રાણવાયુ છૂટી ગયે. ” કુમારપાળે એના દેહને અગ્નિસંસ્કાર કર્યો અને તેની રક્ષાને તે પવિત્ર માનતે હતું તેથી પિતાના કપાળ પર તે લગાવ તેનું તિલક કર્યું. તેના રાજ્યના સર્વ અમીર ભાયાતેએ અને અણહિલવાડના શહેરીઓએ રાજાનું અનુકરણ કર્યું. મેરૂતુંગ ઉમેરે છે કે આજે પણ અણુહિલવાડમાં એ હેમખંડ એ કારણે સુપ્રસિદ્ધ છે. આપણને ત્યારપછી કહેવામાં આવે છે કે કુમારપાળે પિતાની બાકીની જીંદગી ઘણું શેકમાં ગુજારી અને ૩૧ વર્ષ રાજ્ય કરીને ભવિષ્યવાણીમાં કહ્યું હતું તે જ દિવસે સદ્ધયાનપૂર્વક મરણ પામ્યા. આ પછવાડેનું વાકય એમ બતાવતું લાગે છે કે પંડિત માણસોના મરણની પેઠે એણે પણ અણુશણ કરીને મરવાને માર્ગ પસંદ કર્યો. હેમચંદ્રપરત્વે મેરૂતુંગ જેવી હકીકત રજુ કરે છે તેવી જ હકીકત જિનમંડન રજુ કરે છે, પણ એનાં છેલ્લાં વર્ષો પરત્વે એ થી વધારે વિગતો પૂરી પાડે છે. તે કહે છે કે હેમચંદ્રના શિષ્યના કલહથી એ વર્ષે દિલગીરીભરેલાં બન્યાં હતાં. કુમારપાળ વૃદ્ધ થયું હતું છતાં એને છોકરે ન લેવાથી પિતાની પછવાડેના ગાદીવારસની પસંદગીના પ્રશ્નપર ગુંચવણમાં હતો. એના ભાઈને પુત્ર અજયપાળ રિવાજ પ્રમાણે ગાદી ઉપર અગ્ર હક કરતું હતું. બીજી બાજુએ કુમારપાળની દીકરી પ્રતાપમાળાને પુત્ર હતું. એ બે વચ્ચે કેને વારસ કર # હેમખાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy