SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) બહાર પડેલ હોય એવી મતલબને ઉલ્લેખ “ દ્વયાશ્રયકાવ્ય” માં નથી, પણ તે બનેસંબંધી ઉલેખ પ્રબંધામાં છે.૮૪ મેરૂતુંગે ઉપર જે વાર્તા કહેલી છે અને જેનું ટાંચણ ઉપર કરવામાં આવ્યું છે અને જિનમંડન ચેખા શબ્દોમાં કહે છે તે પ્રમાણે એ રાજ્યહુકમેને અમલ કરવા માટે કુમારપાળે પિતાના અધિકારીઓ નીમ્યા હતા. જૈન કેમોને ઘણે અર્થસૂચક હોય એ એક કાયદે કરવામાં આવ્યો હતો. જે માણસ પુત્રને મૂકયા વગર મરણ પામે અને માત્ર પિતાની પાછળ વિધવાને મૂકી જાય તેની મિસ્ત રાજદાખલ કરવાની રીતિ હતી તે દૂર કરવામાં આવી. સ્મૃતિઓના ધરણની વિરૂદ્ધની આ ક્રૂર પદ્ધતિ જુના વખતથી ચાલ્યા કરતી હતી. એ પદ્ધતિને વિસ્તાર આખા હિંદમાં અને ખાસ કરીને પશ્ચિમમાં હતું. કાળીદાસ જેનું નિવાસસ્થાન ગુજરાતની સરહદ પર આવેલા માળવામાં હતું તે આ પદ્ધતિથી વાકેફગાર હતા અને તેના સંબંધી ઉલ્લેખ “અભિજ્ઞાનશકુંતલા” માં તે કરે છે. ત્યાં રાજા દુષ્યતની પાસે એક અમાત્ય નિવેદન કરે છે કે-“ધનવૃદ્ધિ નામને એક વ્યાપારી વહાણ ભાંગી જવાથી સમુદ્રમાં ડૂબી મુએ છે અને તેને રસ પુત્ર (અનપત્ય) ન હોવાથી તેની કરેડેની મિલકત રાજ્યમાં જપ્ત કરવામાં આવી છે.” આ સાંભળી દુષ્યતને પિતાને સંતતી ન હોવાથી લાગણી થઈ આવે છે અને તે પ્રથમતઃ એ વ્યાપારીની ગર્ભાધાન ધારણ કરનારી (સગર્ભા) સ્ત્રીના લાભમાં રાજ્ય હક જતે કરે છે, પણ ત્યારપછી રાજા ફરી વખત એ બાબતને વિચાર કરે છે અને પછી એવા પ્રસંગમાં મિલકત જપ્ત કરવાનો રિવાજ બંધ કરવા સંબંધી કાય-ફરમાન (વટહુકમ) બહાર પાડે છે. આ અહેવાલ અસલ શકતલાની કથામાં લુમ પડત નથી, પણ કાળીદાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy