SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જણાય છે કે એ ગ્રંથ વ્યાકરણ પૂરું થયા પછી લખવામાં આવ્યું હતું અને એ ગ્રંથ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગ્રંથકત્તને કોઈ પ્રકારને રાજ્યાશ્રય હતે નહિ. એ સંબંધમાં એક અસરકારક પરિસ્થિતિ ખાસ અર્થસૂચક છે અને તે એ છે કે એ ગ્રંથના મૂળમાં અર્પણસંબંધી કઈ પ્રકારને ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલું જ નહિ પણ તેની ટીકા જેમાં કવિત્વની અનેક ગાથાઓ (કે) છે તેમાં ગુજરાતના રાજ્યકર્તાઓની કેઈપણ પ્રકારની પ્રશંસા (Compliment)ને ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. આ છેલ્લે મુદ્દે ખાસ વધારે મહત્વને છે, કારણ કે રાજ્ય સંબંધમાં આવનાર સાહિત્યવિષયક લેખકે પિતાને આશ્રય આપનારની પ્રશંસા કવિતામાં વણ દેતા હતા અને હેમચંદ્ર પિતાના રાજાની પ્રશંસા કરવાની તક, તેની બે કૃતિઓમાં દેખાય છે તે પ્રમાણે ગુમાવે તેવા નહોતા. તેના વ્યાકરણની ટીકાસંબંધીને એક આ પ્રસંગ ઉપર વર્ણવવામાં આવ્યું છે અને એ બીજો પ્રસંગ તુરતમાં નીચે ચર્ચવામાં આવશે. સાહિત્યવિષયક પુસ્તકમાં જયસિંહ અથવા તે કુમારપાળનાં પરાક્રમની પ્રશંસા ચિરસ્મરણીય કરવાનું કાર્ય ઘણું સહેલું હતું, અને એ પ્રમાણે વૃદ્ધ વાગભટે “ અલંકારશાસ્ત્ર ” માં કર્યું પણ છે છતાં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, તેથી આપણે એમ ધારી શકીએ કે આ કૃતિ લખતી વખતે ગ્રંથકર્તાને કઈ પણ રાજા સાથે સંબંધ નહેાતે અને તે સમય તે જયસિંહના મરણ પછીને અને કુમારપાળ સાથે હેમચંદ્રને સંબંધ થયે તે વચ્ચે હતું એમ નિરવું એ મુશકેલ નથી. એ જ બાબત “છનુશાસન ૭૧ ને લાગુ પડે છે. એ વૃતે ઉપરને ગ્રંથ છે. એની શરૂઆતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy