SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તે શ્રીમદ પિતાના જ્ઞાનની પરબ કેઈ સંપ્રદાય પૂરતી અનામત ન રાખતાં વિશ્વ સમસ્તનાં પ્રાણું માત્ર માટે ખુલ્લી મૂકે છે અને પિતે સર્વનાં, વિશ્વમાં બની વિશ્વને પિતાનું બનાવે છે. તેમનાં “સર્વદર્શનમસહિષ્ણુતા, ગહન ગ્રંથાલેખન, વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનોના પરિમલ ઠેઠ વિદ્વશ્રેષ્ઠ ગુર્જરેશ્વર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને મુગ્ધ કરે છે અને તેઓ શ્રીમદને પિતાના મોટા અમલદારને મોકલી પિતાની પાસે વ્યાખ્યાન આપવા આવવા બહુ માનપૂર્વક આમંત્રે છે, અને લક્ષ્મીવિલાસ રાજમહાલયમાં એક ઉંચી પાટ પર તેમને વંદન સહિત પધરાવી પિતે વિનયપૂર્વક અનેક દરબારીઓ, વિદ્વાને, શાસ્ત્રીઓ, અને રાજ્યકુટુંબની હાજરીમાં તેમનું “આમેન્નતિ” એ વિષય પર કલાક સુધી વ્યાખ્યાન સાંભળે છે, અને મહારાજા હર્ષાન્વિત બની બલી ઉઠે છે કે, “આહા! જે આવા થોડા વધુ સંતે ભારતમાં હોય તે દેશદ્વાર ઘણે નજીક આવે ” અને બીજીવાર બેલાવી તેમને સાંભળે છે, અને તેમને ખાતરી થાય છે કે, છેલાં હજાર વર્ષમાં ગુજરાતે પ્રગટાવેલાં નરરત્નોમાં તેમનું સ્થાન શ્રેષ્ઠ છે. વિશ્વબંધુત્વજગકલ્યાણની ભાવનાભર્યા, ગુર્જરી-સ્વદેશના લાડીલા, શુદ્ધ ખાદીધારી, વિરલ વિચારક, સાચા સુધારક, શ્રીમદ પગપાળા, પિતાને આત્મસંદેશ આપવા ગુજરાત, મારવાડ, મેવાડ, સૌરાષ્ટ્ર, દક્ષિણ, વગેરે પ્રદેશમાં ઘૂમી વળે છે. અનેક વિદ્વાને રાજવીએ, ઠાકરે, યુરેપિયન, ક્રિશ્ચિયને, સમાજીસ્ટ, થીએસોફીસ્ટ, ધર્માચાર્યો, પંડિત, મુમુક્ષુઓ, અને દરિદ્રનારાયણેના હૃદયદ્વારે પહોંચી તેમને પાત્રાનુસાર આત્મજ્ઞાનરસામૃત પાય છે; અલખની ધૂન મચાવે છે; મહાત્મા ગાંધીજી સાથે સ્વદેશેતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034839
Book TitleGurupad Puja
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherShamaldas Tuljaram Shah
Publication Year1926
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy