SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવત સંગ્રહ વંધ્યા કહા જાનહી પ્રસુતનકી પીડ, વીતી હોય તે જાણે. જેના પેટ ઉપર સાપ પડ્યો તે ઊછાળે. ધરાયેલો તે ભુખ્યાની પીડા શું જાણે ? દુખે તેને વેણુ. પેટની પીડા માથે શું જાણે? વીઆણી વેદના જાણે, વગર વીઆણી ઠીક કરે. હાડીઓને મન રમત, દેડકાંનો જીવ જાય. બિલાડીને મન રમત, ઊંદરને જીવ જાય. બેઠેલે ઊભાનું દુઃખ શું જાણે? પેટમાં દુખે તે અજમે ફકે. જેનાં લાગ્યાં તે ભોગવે. પડેગી જબ બજેગી. માથે પડી વિશ્વદેવા. જેને ન દુખે પેટ કે પાસું, તેને આવે ખડખડ હસું. વાડા કેડે વારે, તેને શું ઉધારો. આપ વીતી સૌ જાણે, પર વીતી કાઈ ન જાણે. જણે તે જાણે. જેને વીતી હોય તે નર જાણે, બીજા આણે અહંકાર; ડહાપણનો દલપત કહે, કોઈ ગર્વ ન કરશો લગાર. દેશ-પીપલ પાન ખરંત, હસતી કુંપળી; અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીઓ. ૮૬ માળી આયા બાગમેં, કલીઅન કરી પુકાર; પાકી પાકી ચુન લઈ, અબ કલ હે તેરી વાર. ૮૭ The wearer knows best where the shoe pinches him. The full belly knows not the meaning of hunger, Mock none in his misfortunes. None knows the weight of another's burden. ૪૫. નવ નેજા પાણી ચડે, પત્થર ન ભીંજે કેર. ૮ (જડ બુદ્ધિ સમજે નહીં તે વિષે.) પત્થર ઉપર પાણી, ભીંજે પણ રીઝે નહીં. કાળમીંઢ પાછું જે, કાંઈ અસર થાય નહીં. સે મણ સાબુએ ધુઓ પણ સીદીભાઈ કાળાને કાળા. દાહરા-કહાં કહું કિર્તારમું, હીરદા ભયા કઠેર; નવ નેજા પણ ચડે, પત્થર ન ભજે કર. ૮૮ ૧ પ્રસૂતિ વખતની વેદના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy