SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતસંગ્રહ २१८ પેટમાં કેઈથી પસી નીકળતું નથી. વછરના મનમાં થઈ તેથી સ્ત્રી પુરૂષ અને ખુશીમાં રહેતાં હતાં. પિતાની સ્ત્રીના પતિવ્રતની વજીરના મનમાં ખાતરી થવાથી વજીરને કાંઈક ગર્વ થયે, તેથી હમ સેબતની મંડળીમાં પોતાની સ્ત્રીનાં વખાણ હદ ઉપરાંત કરવા લાગ્યા તે એક મિત્રથી સાંખી ન શકાયાથી - તેણે તે સ્ત્રીના દેષ ગાયા. ત્યારે વજીરે તે વિષે ખાતરી કરી આપવા માગણું કરી. તે મિત્રે ખાતરી કરી આપવા હામ ભીડીને કહ્યું કે પંદર દિવસના ગામતરે જવાનું નક્કી કરો પછી હું તમારી સાથે આવું ને ખાતરી કરી આપું, તે પ્રમાણે બન્ને વિચાર કરી પંદર દિવસની મુસાફરીની તૈયારી કરીને વછરે પિતાની સ્ત્રીની રજા માગી અને મુસાફરીએ વજીર તથા તેને મિત્ર ચાલ્યા. શહેરથી બે ગાઉ ઉપર એક ગામ આવ્યું ત્યાં વજીર તથા તેને મિત્ર છુપકીથી રેકાયા ને ચાકરનોકરને સામાન સાથે આગળ જઈ અમુક ગામે મુકામ રાખવા હુકમ આપે. રાત્રે વજીર અને મિત્ર પાછા દિલ્હી આવ્યા અને વજીરને ઘેર આવી મોડી રાતે વછરના ઘરમાં દાખલ થયા. ત્યાં તે બંને જણે ઘરમાં ધામધુમ બીજી તરેહની જેઈ. તે વખતે વજીર ગુસ્સામાં આવી પોતાની સ્ત્રી તથા તેની સાથેના પુરૂષને કલ કરી ચાલ્યા ગયા ને પોતાના નોકરે જે ગામ રોકાયા હતા ત્યાં જઈ રહ્યા. બીજે દિવસે મુસાફરી બંધ કરીને તેઓ દિલ્હી પાછા આવ્યા ત્યાં પોતાની સ્ત્રાનું તથા એક પુરૂષનું ખૂન થયાની તથા તે ઠેકાણે થયાની વાત જાણું. બીજે દહાડે વજીરે પોતાના ઘરમાંથી બેચાર લાખનું ઝવેરાત લઈ એક પિોટલી બાંધી તેને ગોળ દડે કરી બાકી મીલકત લુંટાવી દીધી અને દુનીઆથી વિરાગ પામી એક જેગીનો વેષ ધારણ કરી દિલહીથી ચાલી નિકળે. મિત્ર તે પોતાને ઘેર ગયો. ઝવેરાતનો દડે લેઈ ફરતા ફરતા વજીર એક રાજાના શહેરમાં જઈ પહોંચ્યા. ત્યાં કાંઈક મુદત રહ્યા પછી વજીર જોગીએ હજ કરવા જવા વિચાર કરી પિતાની પાસે ડલો કયાં મૂકો તેની તજવીજ કરવા લાગ્યો. ફરતાં ફરતાં બધા શાહુકારનાં ઘર જોયાં, તેમના વ્યવહાર વિષે તથા શાખ વિષે તપાસ કર્યો તેમાં તારશા કરીને એક શાહુકારનું નામ આવતાં તેનું ઘર તથા રીતભાત વિષે બારીકીથી તપાસ કરવામાં વછર જેગીને તારશાની પાછળ ફરવાની જરૂર પડી. તે વજીર જેગી તપાસ કરવા સારૂ તારશા એક સોનીની દુકાને બેઠા હતા તે સામો દૂર બેઠે. તારા સોનીની દુકાનેથી ઘેર ગયા ત્યારે વજીર ફકીર પણ તેની પાછળ ગયે. તારા ઘેર પહોંચ્યો ત્યાં પોતાના કપડા ઉપર સેનાના તારને કડકે જે એટલે તુરત કરને બોલાવી સોનીને ત્યાં આપી આવવા હુકમ કર્યો. તે જોઈ વજીર ફકીરને ખાતરી થઈ કે તારશા ઘણે પ્રામાણિક શાહુકાર છે બીજે દિવસ વજીર ફકીર તારશા શેઠને ઘેર ગયો. તારશાએ તેને આવકાર આપ્યો અને આવવાનું પ્રયોજન પૂછ્યું. ફકીરને ખાતરી થયેલી તેથી છૂટા મનેથી વાત કરી કે “મારે મક્કા શરીફ હજ કરવા જવું છે માટે મારી પાસે ચારેક લાખને જવાહર તમારે ત્યાં અનામત મૂકીને જવું છે ને તે અનામત હું ત્યાંથી આવીને લઈશ.” શેઠે કહ્યું “આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy