________________
૩૮૦
૩૮૧
૧૮૨
કહેવત સંગ્રહ ' ૪૩૩. કાગજ હેય તે બાંચ લઉ, કર્મ ન બાંએ જાય. ૧૨ કાગજ હેય તે બાંચ લઉં, કર્મ ન બાંઓ જાય. ઢાંકયાં કર્મની ખબર પડે નહીં. કર્મ વંચાતાં હતાં, તે જોષીનાં રડત નહીં ને વૈદ્યનાં મરત નહીં. છઠ્ઠીના લખ્યા લેખ તેની કોઈને ખબર પડતી નથી. કર્મને શરમ નહીં, ને ચોરીને દાને ધર્મ નહીં. કર્મ કરે તે ન કરે માને બાપ. તદબીર નહીં ચલતી તકદીરકે આગે. ઉદ્યોગ કરે લાખ, પણ કર્મ વગર ખાખ. દેહરા–ઉદ્યમ તે સૌ આદર, પામે કર્મ પ્રમાણ;
કમીને હીરા જડે, અકર્મીને પહાણ. હરિ કહાએરબિધિ લીખા, છઠ્ઠી રેનકે અંક; જવ ઘટે ન તલ વધે, રહે રે જીવ નિશંક. કે પુરૂષ કર શકે, ઉલટે બિધિકે અંક;
બુદ્ધી પિતા ચંદ્રકે, જોઈને શક કલંક ૩૮૨ ચોખરે–આભ ગાભ ને વર્ષ કાળ, સ્ત્રી ચરિત્ર ને રતાં બાળ;
તેની જેઈપરીક્ષા કરે, તેને ઘેર સહદેવ જોશી પાણી ભરે. ૩૮૩ ૪૩૪. નસિબમાં હશે તે થશે. ૧૪ નસિબમાં હશે તે થશે કોઈ છઠની સાતમ કરનાર નથી. લીખો હે લલાટ લેખ, વા નહીં મીનમેખ. કર્મની રેખ ટાળી દળે નહીં. કર્મની રેખ ઊપર કાઈ મેખ મારી શકે નહીં. તુલસી રેખા કર્મકી મેટ શકે ન રામ. છઠ્ઠીના લખ્યા લેખ મટવાના નથી. લખ્યા લેખ મટે કે મિથ્યા થાય નહીં. વિધાતાના લેખ ટાળ્યા ટળે નહીં. હાથમાંથી કેાઈ લઈ જાય, પણ નસિબમાંથી કાઈ ન લેઈ જાય.
૧ અંક=આંકડા, અક્ષર. ૨ હિન્દુસ્તાનના લોકો એમ માને છે કે માણસ જન્મે છે તેને છઠે દિવસે (રાત્રે) વિધિ એટલે બ્રહ્મા કર્મના, ભાગ્યના લેખ લખે છે. તે માનવા પ્રમાણે કવિએ ઉપરના દેહરા બનાવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com