________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
m
mmmmmmmmmmmmvinnan
અથવા ભાવપંડરીક આ છે. સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્રમાં તથા વિનયમાં અધ્યાત્મમાં ધર્મધ્યાન વિગેરેમાં જે શ્રેષ્ઠ મુનિઓ છે તેમને પિડરીક જાણવા, બાકીના કંડરીક ગણવા આ પ્રમાણે આઠ પ્રકારે પિંડરીકને નિક્ષેપ બતાવી જેના વડે અધિકાર છે તે કહે છે. एत्थं पुण अहिगारो वणस्सतिकाय पुंडरीएणं । भावंमि अ समणेणं अज्झयणे पुंडरीअंमि ।१५७।
અહીં દષ્ટાંતના પ્રસ્તાવમાં સચિન તિર્યંચ નિમાં એકેદ્રિય વનસ્પતિકાય (સફેદ પુંડરીક કમળ) જે જળમાં કમળ ઉગે છે તેના વડે પ્રયોજન છે. અથવા ઔદયિકભાવે રહેલ વનસ્પતિકાયના સો પાંખડીવાળા સફેદ કમળથી છે. અને ભાવમાં સભ્ય દર્શનશાન ચારિત્ર વિનય અને અધ્યાત્મમાં રમણતા કરનારા સુસાધુથી આ અધ્યયન પુંડરીક નામનું છે તેમાં તેવા સાધુની જરૂર છે. અર્થાત્ સુંદર સફેદ નિર્મળ વનસ્પતિકાયનું સો પાંખડીવાળું કમળ લેવું અને તેની જોડે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત ઉત્તમ સાધુથી પંડરીક કમળની સરખામણું કરવી. | નિક્ષેપ નિર્યુક્તિ પુરી થઈ અને હવે સૂત્રસ્પર્શિક નિયુંકિતને અવસર છે. તે સૂત્ર સાથે હોય અને સૂત્ર સૂત્રાનુગમમાં હોય તે અવસર આવ્યો હોવાથી અટકયા વિના
શુદ્ધ ઉચ્ચારે સૂત્ર કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com