SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જન સાહિત્ય પ્રકાશન જેન સાહિત્યને વિકાશમાં લાવવાનું કામ પ્રથમ ધનપતસિંહ બહાદુર મુર્શિદાબાદવાળાએ (સાંભળવા પ્રમાણે) શ્રીમાન મોહનલાલજી મહારાજના ઉપદેશથી કર્યું, ત્યારપછી ગુજરાતમાં અનેક સંસ્થાઓએ કર્યું છે, પણ તેમાં ભીમસીંહ માણેક તથા દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાંર ફંડ અને આગમેદય સમિતિ મુખ્ય ગણાય, જૈન સુત્રો સટીક છપાયાથી જુનું સાહિત્ય પ્રાકૃત માગધી અને તેના ઉપર સંસ્કૃત ટીક હોવાથી વાંચકોને સુગમ પડે, તેમ પાયચંદસૂરિના જુની ગુજરાતીમાં શબ્દાર્થ કે પદોના અર્થ છે, તથા તે ઉપરથી સૂત્રોનાં ગુજરાતી ભાષાંતર મૂળના આધારે તથા ટીકાના આધારે થવાથી ગુજરાતી ભાષાને પણ ઘણા લાભ મળ્યો છે, બધું જૈન સાહિત્ય છપાવતાં હજુ ઘણું વરસો જોઈએ, તેમ જૈન સિવાય બીજા તેમાં ઓછો લાભ લેતા હોવાથી તેમનું લક્ષ ખેંચવા સભાઓ થઈ જૈન સાહિત્ય સંમેલન જોધપુર પ્રથમ સોળ વર્ષ ઉપર થયું, આ જૈન સાહિત્ય સંમેલન વિજયધર્મસુરિજીના પ્રયાસથી જોધપુર (મારવાડ)માં ભરાયું, તેમાં અનેક જૈન જૈનેતર દેશી વિદેશીને તેનો લાભ મળ્યો. ત્યારપછી શ્રાવક નેમચંદ નાથાભાઈના ઉજમણાના પ્રસંગને લઈને ૧૯૮ના વૈશાખ વદી ૧-૨-૩-૪ના દિવસે સુરત ગેપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં જૈન સાહિત્ય પરિષદ્ ભરાઈ તે સમયે જેનેમાં ઘણું તજવીજ કર્યા છતાં જૈન પ્રમુખ ન મળવાથી જેમાં માનનીય અને જૈન સાહિત્યમાં અત્યંત પ્રેમ ધરાવનાર કવિવર્ય નાનાલાલ દલપતરામભાઈને પ્રમુખ તરીકે નીમ્યા હતા, તેમનું પૂર્ણાહુતિમાં જે ભાષણ થયું હતું તથા ચાર દિવસની કાર્યવાહી શું થઈ, તેના રીપોર્ટે છાપામાં છપાઈ ગયા છે, એટલે ત્યાંથી જોઈ લેવા અહીં પ્રાર્થના કરીશું પરંતુ તે સમયે પ્રથમ કવલે મક્ષિકાપાત: તરીક એવું ભયંકર વિધ્ર આવેલું કે તે સમયે જે સુશ્રાવક મગનલાલ બદામી વકીલ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy