________________
સ્વભાવિક રીતે જ સંસ્કૃત શબ્દો ઉતરવા લાગ્યા ને ગુજરાતી ભાષાને ચેથી પેઢીની પૂર્વજ, સંસ્કૃતભાષા સાથે. નવેસર સણાઇ, સંધાઈ. સંસ્કૃત શબ્દો ધકેલતાં ધકેલાતાં પ્રાકૃતરૂપ પામ્યા હતા. અને પ્રાકૃતમાંથી ધકેલાતાં ધકેલાતાં અપભ્રંશ રૂપે બહુ બેડોળ થઈ ગયા હતા, તે રુદ્ધ શબ્દને સ્થાને ગુજરાતી ભાષામાં નવા-કોરા સંસ્કૃત શબ્દ આવવા લાગ્યા. બીજી તરફ પ્રાકૃત , થા માં સ્વ સંધાતા મહેતા છતાં લોકોએ ઉચ્ચારમાં ટુંકાવીને રિ, ઘર નું રૂપ આપ્યું હતું, તે અપ્રમાણભૂત રૂપ પુસ્તક પર ચઢીને પ્રમાણભૂત ગણતાં થયાં. આ પ્રમાણે ગુજરાતી ભાષા પિતાની પૂર્વજભાષાઓ સાથે તેમજ સંસ્કૃતભાષા સાથે બેઉ તરફ સંબંધ ધરાવતી ભાષા થઈ બ્રાહ્મણકવિઓ અને જેનકવિએ બેઉનાં કાવ્યોમાં આ બેઉ સંબંધ સ્પષ્ટ દેખાઈ આવે છે. જૈન કવિઓનું વલણ એક હતું ને બ્રાહ્મણકવિઓનું વલણ બીજું હતું એમ કહેવાને કશું કારણ નથી.
જરા વિષયાંતર થવા દઈને પણ બે બોલ કહી દેવા જરૂરના છે કે ગુજરાતી ભાષા જૈનેએ બનાવી છે, એવી ઉભી કરવામાં આવતી ચર્ચા અર્થ વગરની છે. ગુજરાતી ભાષા બનાવેલી નથી પણ બનેલી છે. મરાઠી, માળવી, મારવાડી, પંજાબી, હિંદી, બંગાળી વગેરે બધી પ્રાંતભાષાઓ જે રીતે બની છે તે જ રીતે ગુજરાતી ભાષા બની છે. હા, ગુજરાતી ભાષા બનવામાં બીજા અનેક લેકેની પિઠે જેનેએ પણ ફાળો આપે છે, અને તે ફાળો કીમતી પણ છે. પણ ભાષા જેનેએ બનાવી છે એમ કહેવું એ તો “જેન સાહિત્યમાં પ્રમાણભૂત ગુજરાતી ભાષા છેજ નહિ.”એમ કહેનારાઓને પ્રતિવાદ કરવા જેવું છે. શ્રીમાળી, ઓશવાળ, પિરવાડ, અને બીજી બધા જેને ગુજરાતની આસપાસના કે તળ ગુજરાતના મૂળની છે. જેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com