SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રકિનારાની રચના [ ૫૯ સુધીના કિનારા છે. તે રેતીની ટેકરીઓ હારબંધ અને માંડવી છે. કાઠીયાવાડના કિનારાના ત્રણ વિભાગે થ! શકે છે. પહેલા વિભાગ જગતભૂશિરથી દીવ આશરે ૧૬૦ માઇલ લાંખે છે અને ત્યાં જોવામાં આવે છે. શ ંખાહાર ભેટ મૂક્યા પછી પારબંદર અને વેરાવળ બંદરા, દીવ ભૂશિર અને છેવટે દીવ બેટ આવે છે. બીજો વિભાગ દીવથી ગેાપનાથ સુધીને છે. તેના વિસ્તાર આશરે ૮૦ માઇલ છે. ત્યાં સાધારણ ઉંચી ટેકરીઓ આવેલી છે કે જેમાં સમુદ્રનાં મેાજાથી ખખાલા પડી ગયેલી છે. સમુદ્ર તરફથી આ કાંડાને દેખાવ ઘણા આહ્લાદજનક લાગે છે. દીવ એટ પછી શિયાળબેટ, જાફરાબાદ બંદર અને ગેાપનાથ આવે છે. કાઠીયાવાડના કિનારાને ખરા વળાક જાફરાબાદથી શરૂ થાય છે. ગોપનાથથી ખ’ભાત સુધીને આશરે ૭૦ લાઈલ લાંબે કિનારા નીચા, કાદવવાળા, સહેજ રેતાળ અને ખડકાળ છે. ગેાપનાથ પછી ભાવનગરની ખાડી આવે છે. આ ખાડી નદીઓના કાંપથી પૂરાતી જાય છે, પણ યાંત્રિક યાજનાથી ત્યાં જળમળ બહાર કાઢવામાં આવે છે કે જેથી હાલ ભાવનગરનું બદર ફરીથી ખીલ્યું છે. ધેલેરા અને ખંભાતની ખાડીએમાં એક વખત સારાં બંદરે ખીલેલાં હતાં, પણ નદીઓના કાંપથી પૂરાઈ જવાથી હાલ તે નિરૂપયેાગી થયાં છે. ખંભાતના અખાત વિષે ભૂસ્તરશાસ્ત્રીઓની એવી માન્યતા છે કે તે કોઈ મહા નદીનું પહોળું થઈ ગયેલું મુખ છે. કેટલાક તેને સિંધુ નદીનું મુખ માને છે, ત્યારે ખીજા તેને પ્રાચીન સરસ્વતીનું મુખ ધારે છે. મૂળ ગુજરાતના કિનારા મૂળ ગુજરાતના કિનારામાં એકંદરે ખાડીએ વધારે છે, પણ તે વ્યવહારને લાયક નથી. ભરૂચ જીલ્લામાં આવી ખાડીઓના ૧ રા. રત્નમણિરાવ ભીમરાવ, “ ખાવાયેલી નદી, ’’ પ્રસ્થાનના કાતિ ક અંક (૧૯૮૦, ) પા. ૧૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy