SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભ્રુગેાળવિજ્ઞાન વળી ઉષ્ણકટિબંધમાં ખારાકનાં સાધનેા અખૂટ હોવાથી મનુષ્યને ખાસ નિર્વાહ માટે સતત પુરૂષાર્થ કરવા પડતા નથી. સામાન્ય રીતે આ પ્રદેશના લોકો આલસ્યપ્રિય, મેાછલા અને અનિયમિત સ્વભાવના હોય છે. અપવાદ તરીકે પ્રગતિશીલ પ્રજાએ આવા પ્રદેશમાં મળી આવે છે, પરંતુ એ વાત તે નિર્વિવાદ છે કે ગરમ દેશામાં સુલભ ખાનપાનને લને સાહસિક અને પ્રગતિશીલ પ્રજાનુ પ્રમાણ ઓછું જોવામાં આવે છે. વળી વિષમ હવાથી ત્યાંના લોકોની કાશક્તિ ઘટે છે. આમેવાના કારણથી શીતકિટબંધની સાહસિક પ્રજાએએ ગરમ પ્રદેશ ઉપર પાતાની સર્વોપરી સત્તા જમાવી છે. જ્યારે વર્ષા ઋતુવાળા પ્રદેશમાં વસ્તી જોશભેર વધવા છતાં લોકાને સામાન્ય રીતે પરદેશમાં વસવું ગમતું નથી. ત્યારે ઠંડા પ્રદેશના લેકેદ નવા પ્રદેશ જિતવા કે ખીલવવા પ્રેરાય છે. વળી હાલનાં પ્રથમ પંક્તિનાં ઔદ્યોગિક સ્થાની સ્થાપનાનું મૂળ કારણ મેટા ભાગે કુદરતી રચના અને આમેહવા જ છે. અપવાદ સિવાય દુનિયાની સર્વ વિકાસ પામેલી કોલસાની ખાણા અગત્યનાં ઔદ્યોગિક સ્થળેાને પોષે છે. દુનિયાના સુતરાઉ કાપડના ઉદ્યોગમાં લે કેશાયર અપ્રતિમ સ્થાન ભેગવે છે; કારણ કે કોલસાની ખાણ અને દરીયા પાસે જ છે, એટલું જ નહી. પણ સુતર કાંતવાને માટે ખાસ અનુકૂળ થાય તેવી ભેજવાળી હવા ત્યાં છે. હિન્દુસ્તાન અને જીમ જેવા દૂર આવેલા દેશા હજી પણ લેંકેશાયરને ઓછાવત્તા પ્રમાણમાં રૂ પૂરૂં પાડે છે કારણ કે ત્યાં રૂની પેદાશને માટે આખેડવા ઘણી અનુકૂળ છે. પરતુ સુતર કાંતવાને યેાગ્ય લેકેશાયર જેવી ભિનાશવાળી હવાની ખેાટ હાવાથી મીલેમાં કૃત્રિમ ચેાજના વડે ભેજવાળી હવા ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે કોઇ પણ જગ્યાએ સાનાની ખાણની શોધ માલમ પડે. છે ત્યારે ધણા લોકો ત્યાં આવીને વસવા લાગે છે, પરંતુ તેની પ્રાથમિક અસર ક્ષણિક જ હોય છે. છેવટે આ જ અસર તે જ પ્રદેશને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy