SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતિક પરિસ્થિતિના સબધ [ ૧ ખેતી અને ઢારના ચારા માટે પુષ્કળ જમીન હોય છે. આવાં મેદાનેામાં ખેતી માટે જ્યારે અર્વાચીન યાંત્રિક સાધના વપરાય છે, અથવા તે રેલ્વેવ્યવહાર શરૂ થાય છે ત્યારે તેમની આર્થિક અગત્ય ધણી વધે છે. કેનેડા, અર્જેન્ટાઇન અને એસ્ટ્રેલીયાનાં મેદાના ખેતીની ઉચ્ચ કક્ષાએ પહોંચેલાં છે તેનું મુખ્ય કારણ અનુકૂળ આખાઢવા અને સપાટ ફળદ્રુપ પ્રદેશ છે. આબેહવા આમેહવા પણ ભૂપૃષ્ઠરચનાની માફક મનુષ્યપ્રવૃત્તિને નિયમમાં રાખતું અગત્યનું કારણ છે. આમેહવાથી જૂદા જૂદા દેશની ખારાકની પેદાશ થી હેાઈ શકે તે માલમ પડે છે, એટલું જ નહીં પણ મનુષ્યની કાર્યશક્તિ અને ખામીયતમાં ફેરફાર પડે છે. ઉત્તર આફ્રીકાનું સહરાનું રણ અને ખીજા રણે। પ્રતિકૂળ આમેહવાથી બનેલા છે તે મંતવ્ય ખાટું નથી. પૃથ્વીનાં મહાન રણે। ફળદ્રુપતાની ખેાટને લઇને ખનેલાં નથી, પરંતુ વરસાદની અછતને લીધે બનેલાં છે. અનુકૂળ આખેહવાવાળા પ્રદેશા જેવાં કે વર્ષા ઋતુના દેશમાં (હિન્દુસ્તાન, ચીન વગેરે) વનસ્પતિ ને ખેારાક પુષ્કળ જથ્થામાં ઉત્પન્ન થાય છે, કારણ કે ત્યાં ઋતુસર પૂરતા વરસાદ પડે છે. કેટલીક જગ્યાએ મનુષ્ય પ્રતિકૂળ આમેહાને અનુકૂળ બનાવીને પેાતાના ઉપયાગમાં લે છે. ઈજીપ્તની નાઇલ નદી અને સિ ંધની સિંધુ નદીમાંથી કાઢેલી નહેરાએ વેરાન પ્રદેશને ફળદ્રુપ બનાવ્યા છે કે જે મનુષ્યપ્રયત્નની સાક્ષી પૂરે છે. આખેડવાથી મનુષ્યની કાર્યશક્તિમાં પણ ફેરફાર થાય છે તે જૂદા જૂદા દેશના લોકે!ની સરખામણી ઉપરથી માલમ પડે છે. વર્ષા ઋતુવાળા પ્રદેશમાં ખારાક ઘણા જથ્થામાં ઉત્પન્ન થતા હાવાથી ત્યાંના લોકોને ખારાક ઘણી સહેલાઇથી મળે છે. વળી તે પ્રદેશમાં અતિશય ગરમી પડતી હાવાથી લેાકેાની કાર્યશક્તિ પણ પ્રમાણમાં ઓછી હોય છે. આથી સમશીતાણુ પ્રદેશમાં વસતા લોકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy