SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ગાળવિજ્ઞાન જેવી રીતે વનસ્પતિવિદ્યા, પ્રાણીવિદ્યા, અને ભૂસ્તરવિદ્યાના અભ્યાસીએ આસપાસની સૃષ્ટિનું નિરીક્ષણ કરીને વ્યાવારિક ઉદાહરણા મેળવે છે, તેવી રીતે આ વિજ્ઞાનના અભ્યાસી દરેક કુદરતી ઘટનાનું સકારણુ સંશાધન કરીને તેની વ્યાવહારિક ઉપયેાગિતા શોધી કાઢે છે. પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન માત્ર બુદ્ધિવિકાસનુ ક્ષેત્ર છે, એટલું જ નહીં પણ કોઈ પણ અર્વાચીન દેશેાની ઔદ્યોગિક ખીલવણી માટે તેનું જ્ઞાન આવશ્યક છે. વિવિધ દેશેામાં આ વિજ્ઞાન સબંધી દિવસે દિવસે જ્ઞાન પ્રસરતું જાય છે અને તે જ્ઞાનનેા લાભ લઇને જેટલે અંશે કુદરત સાનુકૂળ બનાવી શકાય તેટલે અંશે મનુષ્ય તેમાંથી લાભ મેળવે છે. પ્રાકૃતિક પરિસ્થિતિનાં મુખ્ય અંગા જમીનનું બંધારણ પ્રાકૃતિક પરિસ્થિતિનું પ્રાથમિક અંગ જમીનનું બંધારણ છે કે જેનાથી વિવિધ કુદરતી ઘટનાના આવિર્ભાવ થાય છે. પૃથ્વીના સ્તરે વિવિધ પદાર્થોના બનેલા છે. કેટલાક સ્તરેા સીધા સમાન્તર હાય છે ત્યારે કેટલાક અવ્યવસ્થિત સ્તરવાળા હાય છે. આ શિલાઓના સ્તરામાં કાઈ કાઈ ઠેકાણે પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો કે આકારા પણ જોવામાં આવે છે. આ શિલાએ જળમય કે જળસંચિત કહેવાય છે. શિલા પર બહારથી હવામાન અને જળાશય અસર કરે છે અને અંદરથી ભૂગર્ભ ઉષ્ણતા અસર કરે છે. આથી પૃથ્વીના સ્તામાં નિર તર ફેરફારો થયાં કરે છે અને જે યુગેામાં પ્રાણીએ કે વનસ્પતિના અવશેષો ચેાડે કે ષણે અંશે આ શિલાઓમાં દટાયેલા રહે છે તેમને ભૂસ્તરશાસ્ત્રીએ જૂદા જૂદા નામથી ઓળખે છે. જૂદા જૂદા યુગાના શિક્ષાઓમાં જૂદી જૂદી ખનીજ હાય છે અને પ્રત્યેક ખનીજથી ભૂમિના બંધારણમાં પણ ફેરફાર થાય છે. વિવિધ અવશેષોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy