SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપાર અને વ્યવહારનું સ્વમાન્ય અવલોકન [ ૧૧૧ રિતિ પણ સુધરે છે. ૧૯ મી સદીને ઇગ્લાંડનો વ્યાપારી ઇતિહાસ તે બાબતની સાક્ષી પૂરે છે, અને કેનેડીયન પેસિફીક રેલ્વેને દાખલો દર્શાવે છે કે રેલ્વેવ્યવહાર થવાથી નિર્જન અને અગમ્ય પ્રદેશને વ્યાપાર પણ વધારી શકાય છે. હાલના જમીન, જળ અને હવા, એ માર્ગે ચાલતા વ્યવહારમાં સાધને અનુક્રમે રેલ્વે, આગબેટ અને વિમાન છે. દરેક પ્રકારના વ્યવહારને જૂદી જૂદી ખાસીયત છે. શ્રેષ્ઠ પ્રકારના વ્યવહારનાં અનિવાર્ય અંગે કુલ પાંચ છેઃ (૧) ઝડપ, (૨) સહીસલામતપણું, (૩) નિયમિતતા, (૪) સસ્તાપણું, અને (૫) વહનશક્તિ. આધુનિક યુગમાં દરેક પ્રગતિમાન દેશમાં વ્યવહારની ઝડપ વધારવાના પ્રયાસ ચાલુ છે અને તાજેતરમાં હવાઈ વિમાનેએ આંતરરાષ્ટ્રિય વ્યવહારમાં અજબ પરિવર્તન કર્યું છે. જ્યાં ઝડપની જરૂરીયાત છે ત્યાં ખાસ કરીને વિમાનની વપરાશ ઘણું થાય છે. આથી ઉતારૂઓ માટે અને મેટા ભાગે પાની અવરજવર માટે વિમાન એક અત્યન્ત ઉપયોગી સાધન થઈ પડયું છે. જમીનમાર્ગે રેલ્વે વ્યવહાર સરખામણુમાં ઘણે સહીસલામતીવાળો છે. હજુ સુધી વિમાનોની મોટી ખામી એ છે કે મુસાફરી દરમીયાન જાનમાલની સહીસલામતી સાચવી શકાતી નથી; જો કે વૈજ્ઞાનિક શોધખોળેથી ભવિષ્યમાં તે ખામી દૂર થાય તેમ છે. વળી નિયમિતતા રેલ્વવ્યવહારમાં ખાસ જોવામાં આવે છે, કેટલીક વખત આગાટો કલાક સુધી મેડી થાય છે અને વિમાને. કુદરતી અંતરાયોને લઈને ચોક્કસ દિવસે પણ આવી શકતાં નથી; પરંતુ આગગાડીઓ ઘણે ભાગે મિનિટ સુધી નિયામતતા જાળવી શકે છે. વહનશક્તિમાં આગગાડી અને આગબેટ સૌથી મોખરે આવે છે. અત્યંત વિસ્તારવાળી અને વજનદાર ચીજોને લઈ જવા માટે વિમાનનું સાધન હાલના સંજોગોમાં પ્રતિક છે. માત્ર કિમતી અને ઓછા વજનવાળી ચીજો અલ્પ વખતમાં લઈ જવા માટે તેને ઘણે ઉપયોગ થાય છે. જળવ્યવહાર રેલ્વેની સડક, સ્ટેશન વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy