SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. આ પ્રમાણે ગુપ્તવંશના મગધ મહારાજ્યના સમ્રાટ સંપ્રતિ મહારાજાએ પૂજ્ય આચાર્યશ્રી આર્યસહસ્તીસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી ભારતમાં સવાલાખ જિનમંદિરે અને સવાકોડ પ્રતિમાજીઓ ભરાવી હતી. શ્રી શત્રુંજયતીર્થ અને શ્રી ગિરનારજીતીર્થની યાત્રા કરીને શ્રી શત્રુંજય ઉપર અને આજુબાજુનાં ગામોમાં પણ શ્રી જિનમંદિરે બંધાવ્યાં હતાં. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર ચેમુખજી તરફના ભાગને શ્રી મરૂદેવા શિખર કહે છે, તેમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર અને શ્રી મરૂદેવી માતાનું મંદિર, શ્રી સંપ્રતિ મહારાજાનાં ગણાય છે, આજે જે મંદિર છે તે જીર્ણોદ્ધાર થયેલાં છે. શ્રી ગિરનારજી ઉપર સંપ્રતિ મહારાજની ટુંક છે. ૩. વલભીપુરમાં ભવ્ય અને મનોહર જિનાલયે અને સાત ભંડાર હતા. અનેક કેટયાધિપતિ શ્રીમંત વસતા હતા. શ્રી શત્રુંજયની તલાટીનું સ્થાન વલભીપુર ગણાતું હતું. વલભીપુરના શ્રીમંતોએ પણ શ્રી શત્રુંજય ઉપર મંદિરે અંધાવ્યા છે. વખત જતાં બૌદ્ધ લોકેએ વલભીપુરને કબજે લીધે હતો તે વખતે જૈન પંચાસર તેમજ આબુની ઉત્તરે મારરવાડમાં ગયા તથા ખંભાત અને ભરૂચમાં કેટલાક ગયા. ત્યારબાદ મહાસમર્થ વિદ્વાન પૂજય આચાર્ય શ્રી મલવાત્રિજીએ શિલાદિત્યરાજાની સભામાં બૌદ્ધો સાથે વાદ કરીને બૌદ્ધોને હરાવ્યા, શિલાદિત્ય રાજાએ જૈન સંઘને વલભીપુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy