SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માઓની સુંદર પ્રકારે ભક્તિ કરી હતી. તે પુણ્યના યેગે આ અવસર્પિણીમાં પહેલા ચકવતિ થયા હતા. શ્રી સિદ્ધગિરિને પહેલે ઉદ્ધાર કર્યો હતો. આ રિસા ભુવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પછી દેવતાઓ આપેલે મુનિવેષ અંગિકાર કરી અનેક જીવોને પ્રતિબંધ કરી લે ગયા હતા. પછી સપાટ જગ્યા આવે છે. ત્યાં આગળ ઈચ્છા કુંડ સુરતવાળા ઈચ્છાચંદ શેઠે સં. ૧૬૮૧માં બંધા•વેલ છે. ડુંક ઉપર ચડતા જમણી બાજુ એક દેરીમાં શ્રી નેમનાથ શ્રી આદીશ્વરજી અને વરદત ગણધરનાં પગલાં છે. તેઓ શ્રી નેમિનાથ ભગવંતના પહેલા ગણધર હતા. જેઓએ આ તીર્થને સુંદર મહિમા ગાયેલે તેઓ ભગવાનની સાથે મેક્ષે ગયા હતા. ત્યાં થી ચઢતાં બીજા વિસામે જમણી બાજુ ઉંચા એટલા ઉપર ડેરીમાં શ્રી આદિનાથ ભગવાનના પગલા છે. બાજુમાં કુમાર કુંડ મહારાજા કુમારપાલે બંધાવેલ છે. પછી સીધાં પગથિયા ચઢવાના આવે છે. ઊંચે ચઢતા “હિંગળાજને હઠ કેડે હાથ દઈ ચડે; ફુટ પાપને ઘડે, બાંધ્યે પુણ્યને પડે.” એ હિંગળાજના હડા સામે હિંગળાજ માતાની મૂર્તિ છે. આ હિંગલાજ હડા માટે એમ કહેવાય છે કે હિંગલાજમૂર્તિનું સ્વરૂપ અંબિકા દેવી છે. એક વખતે હિંગુલ નામને રાક્ષસ સિંધુ નદી તરફથી જતા આવતા યાત્રિકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy