SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપનાં મરણે દેઢ વર્ષને જેની સાથે સંબંધ છે તેનાં ઘરબાર આપણે જેમાં નથી, તેઓનાં આદર્શ આપણે જીવ્યાં નથી, તેઓની રીતભાત આપણે અવલોકી નથી અને તેમના વ્યક્તિગત અને સમષ્ટિગત વ્યવહારમાંથી ગ્રહણ કરવા યોગ્ય તત્વને સમજી સંગ્રહી શક્યા નથી. આટલાં વર્ષોને જેની સાથે પરિચય હોય તેને આપણે બરાબર જાણીએ નહિ અને તેમની સંસ્થાઓ, ખાવાપીવાના વ્યવહાર, સમાજ સંગઠન, અભ્યાસસ્થાને, આનંદસ્થાને અને આખું સામાજિક રાજકીય અને સાંવ્યાવહારિક તેમજ એગિક અને નૈતિક બંધારણ સમજીએ નહિ એ ઇચ્છવા યોગ્ય ભાગ્યે જ ગણાય. આપણું સમાન પંક્તિવાળાના કે ઉપરની કે નીચેની પંક્તિવાળાના આચારવિચાર અને રહેણીકરણીના નિયમો જાણવાની આપણું ખાસ ફરજ છે, આપણે અત્યારે તેની જરૂરીઆત છે એ આપણે કાંઈ નહિતે સામાન્ય વ્યવહારના નિયમે પણ સ્વીકારવું જ જોઈએ. એ સર્વ બાબતેમાંથી આપણે કાંઈ આદરી શકીએ, આપણી પર્વાત્ય ભૂમિકામાં પાશ્ચાત્ય સંસ્કારને કયું સ્થાન છે, આપણે સારાં તને કેવી રીતે સમજી વિચાર જાણું આપણું વ્યવહારમાં વ્યાપારમાં ઉદ્યોગહુન્નરમાં નૈતિક વર્તનમાં અને સમાજ સંગઠનમાં જોડી શકીએ, ત્યારે જ આપણે આપણુ ઘરના માલેક થવાને દાવ સિદ્ધ કરી શકીએ એમ મને લાગવાથી આ વિચારે આકારમાં મૂક્યા છે. આપણે કઈ વાતે અને કઈ સંસ્થાઓ સ્વીકારવી એ તદ્દન જ વિષય છે પણ પ્રથમ આપણે પાર્વાત્ય સંસ્થાઓને સમજવી જોઈએ અને સમજવા માટે મુસાફરી કરવી જોઇએ, એમનાં સ્થાનમાં જઈ એમને જેવા જોઈએ, એમની સંસ્થાઓને સ્થાન પર જઈ સમજવી જોઈએ, એમના ઘરબાર રહેણીકરણી જણવા સમજવા જોઈએ અને તે પણ સર્વ પ્રેમભાવે કરવું જોઈએ. પ્રથમથી આપણે એવા વિચારથી ચાલીએ કે યુરોપમાં સર્વત્ર નાસ્તિક્તા-અજ્ઞાન અને અવ્યવસ્થા છે તે આપણે કાંઈ નવું શીખી શકીએ નહિ. સમજવા માટે પ્રેમભાવની જરૂર છે અને આદકરવા પહેલા સૂક્ષ્મનિરીક્ષણ પ્રથક્કરણ અને અભ્યાસની જરૂર છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy