SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫ર) એ વાત હું જાણતે તો હું ઈશ્વર હવે, કારણકે એકલા ઈશ્વર શિવાય ઇશ્વરને બીજુ કોઈ જાણતું નથી. જેમ વાદળાંમાંથી આપણે સૂર્યને શોધી કહાથે ળેિ, તેમ જોકે થોડે ઘણો તેના કાર્યોથી આપણે ઇશ્વરને શેહધી કહાડ, તે પણ તેમ કરી તેને આપણે વધારે સ્પષ્ટ રીતે સમજી શકવાના નહિ. એમ છતાં પણ આપણે કહિએ કે ઈશ્વર સર્વોત્તમ ભલું છે તે પ્રથમ પ્રાણ, અખંડ, ન્યાયી, દયાળુ, સુખી, શાંત છે, ને સૃષ્ટા, રક્ષક, નિયામક, સર્વજ્ઞાની અને સર્વ-શકિતમાનું છે, તે પિતા, રાજા, ધણી, બદલો વાળનાર અને હાકેમ છે તે આરંભ, અંત, મધ્યસ્થ અનાદિ છે, તે ક, આયુષઆપનાર, જોનાર (દ્રષ્ટા), કારીગર, સર્વનું શુભચિંતક (Providence) પરમાર્થ છે. એજ સર્વ સૃષ્ટિનો સાર છે. જે માનસ આ પ્રમાણે લખી ગયા છે તેને નિરીશ્વરમતી ગણી બાળી નાંખવામાં આવ્યા હત! ખરું જોતાં સતરમી સદીમાં નિરીશ્વરમતના ખરા અર્થવિષેના વિચાર એટલા ગુચવાડાભર્યા થઈ ગયા હતા, કે છેક ૧૯૮૯માં એદીનબરોની પારલામેન્ટ “ઇશ્વરમતી લોકોના નિરીશ્વરમતી વિચાર સામે' એક કાયદો પસાર કર્યો અને સ્પિનેઝા અને આર્ચ-શિષ તિતસન જેવાં માનસોને, જોકે હવે બાળી નાખવાનું તે નહિ બનતું, તો પણ વગર વિચારે નિરીશ્વરમતીને કલંક લગાડવામાં આવ્યા હતા. વળી અઢારમી સદી પણ આવા દોષથી તદન મોકળી નથી રહી. ઘણાં માનસોને એ કાળમાં પણ નિરીરમતી કેહવામાં આવતા હતા, તે એટલા માટે નહિ કે ઈશ્વરની સત્તાનો અનાદર કરવાનું તેઓએ સ્વપને પણ વિચાર્યું હતું, પણ એટલાજ માટે કે ઐશ્વર્યના વિચારમાં મનુષ્ય જે અતિશકતી અને ભૂલ કરે છે એવું લાગતું તેથી તેને સ્વચ્છ કરવાની તેઓની ઈચ્છા હતી. - આપણા પોતાના વખતમાં નિરીશ્વરમત તે શું છે એ આપણે એટલું તો સારી પેઠે શિખ્યા છિયે, કે એ શબ્દ એટલો તોછડાઈથી કે અવિચારથી આપણે વાપરિયે નહિ. તે પણ જે કોઈ પણ પિતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy