SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) છું, ત્યારે હું એક આંખના પલકારાને પણ મારે વશ રાખી શકતા નથી. આ વરૂણ, જે હથિયારોથી તું યથામરછ કુર્મિને મારે છે, તે હથિયાર વતી અમને ના મારતો. જ્યાંથી પ્રકાશ અલોપ થયું છે ત્યાં અમને ના જવાદે. અમારા શત્રુઓને વિખેરી નાખ, કે અમે આવિયે. “એ વરૂણ, બળવાન્ દેવ, અમે પૂર્વે તાસં વખાણ ગાયાં હતાં, હાલ ગાઇયે છિયે અને ભવિષ્યમાં પણ ગાઈશું. કારણ કે હે અજેય વીર, તારાઉપર સઘળા અચળ કાયદા જાણે એક ખડકઉપર જડી લીધા હોય તેમ રહેલા છે. તે સઘળાં આત્મકૃત પાપથી મને બહ દર કર, અને ઓ રાજ! તું એવું કર કે બીજાઓનાં કરેલાં પાપને માટે મને ખમવું ન પડે. ઘણી ઉષા હજી તે મારા ઉપર ગઈ નથી, માટે, હે વરૂણ અમને તે રહે ત્યાં સુધી જીવવા દે. ઓ વરૂણ કોઈ માર સખે અથવા મિત્ર હોય, જેણે હું સુતિ અને કાંપતો હોંઉ તે વેળા મારી સામે ભયંકર મારણમંત્ર સાધ્યા હોય, અથવા કોઈ ચોર અથવા વરૂ મને ઈજા કરવાને ઈચ્છતે હય, તે એવાથી અમારો બચાવ કર.' કોઈ ગ્રીક કવિ ઝી યુસની સ્તુતિ ગાતાં આથી કાંઈ વધારે બેલી શકે નહી; તે પણ હું તમને બીજાં ભજનોમાંથી સહજ ચુંટી કહાડેલાં વાકયો બતાવી આપું કે જેમાં અગ્નિ, મિત્ર, સેમ, અને બીજા દેવો વિષે એવીજ અને એથી પણ વધારે મજબુત ભાષા વાપરવામાં આવી છે. ઈષ્ટ*વરમત, ધર્મને વાકકાળ. ત્યારે ઈશ્વરમતને અર્થ તે આ છે, કે ધર્મ વિષયક વિચારનો એક એવો પ્રકાર, કે જેની ઓળખ આપણને પહલી જ વખત ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy