SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) ત એટલે યજ્ઞ. –૦૦જે આપણે યાદ રાખિયે કે હિંદુસ્થાનમાં પ્રાચીન કાળમાં કેટલા બધા થશે સૂર્યની ગતિઉપર આધાર રાખતા હતા તથા સૂર્યોદય, મધ્યાન્હ તથા સૂર્યાસ્ત વેળા નિત્ય યશો કેમ થતા હતા; પૂર્ણિમા (પુનમ) અને ચાંદરત ઉપર બલિદાન કેમ થતાં હતાં; અને ત્રણે ઋતુઓ તથા સૂર્યના અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક વેગ (ગમન) પછી ભેગો કેમ આપવામાં આવતા હતા, તો યજ્ઞ પોતે વખત જતાં તેને માર્ગ કાં કહેવાયો તે આપણે સારી પેઠે સમજી શકશું. છેલે તો સામાન્ય અર્થ નિયમ થયો. નદિયો, જેમને કેટલેક ઠેકાણે તેને માર્ગે જતી કહેલી છે. તેઓને બીજાં મંત્રમાં વરૂણના નિયમ અથવા રીતિપ્રમાણે ચાલતી જણાવી છે. એ સિવાય તના બીજા ઘણા અર્થો, અથવા અર્થના પ્રકાર છે, પણ તે આપણા કામને માટે થોડા જ અગત્યના છે. મારે બીજું એટલું જ ઉમેરવું છે કે જે પ્રમાણે તેનો અર્થ જે કાંઈ સીધું, સારું અને સત્ય છે, તે દર્શાવનાર થયો તેમજ અનત શબ્દ જે કાંઈ જુ, દુષ્ટ અથવા અસત્ય છે તે દર્શાવવા માટે વપરાતો હતે. wતનો વિસ્તાર (ખીલવું). વેદમાંના આ ઋતવિષે, તમને કોઈ સ્પષ્ટ વિચાર આપવામાં, એટલે કે આ જગત્ની, સૂર્યની, સહવાર અને સાંજની, દિવસ અને રાતની, સ્થીર સ્થાપેલી ગતિને પ્રથમ અર્થ કેમ થયો? તે ગતિનું મૂળ છેક દૂર પૂર્વ દિશામાં કેમ ઠસી બેઠું; તેનાં સ્વરૂપ આકાશી પદાર્થોના માર્ગમાં, એટલે આપણે કેહવું જોઈએ કે દિવસ તથા રાતમાં કેમ માલમ પડ્યાં હતાં અને જે સત્ય માર્ગ ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy