________________
૩૫૦
સમજી શકાય. એવી જ રીતે રાજસ્થાનમાં ફલેદી તાલુકામાં શ્રી. વૃંગરસિંહજી મ. અને નેમિચન્દ્રજી મ.ને નિમિત્તે જે પ્રયોગ તેમના ફલેદી ચાતુર્માસ પછી શરૂ થવાને હતો, તે કેટલાંક કારણોસર અને મુખ્યત્વે તો ત્યાંના કાર્યકરને પૂરી ધડ ન બેસવાને લીધે થંભી ગયો હતો, તે હવે છેલ્લા બે વરસથી તેજ કાર્યકરને, તે પ્રદેશમાં આ પ્રયોગ કરવાની તાલાવેલી લાગી છે અને મુનિ નેમિચન્દ્રજીને તે પ્રદેશમાં આવે છે. તેવી જ રીતે આગ્રામાં વિરાજતા કવિશ્રી ઉપાધ્યાય અમરચંદજી મ. અને તેમના શિષ્ય ૫. વિજયમુનિજ, અને પૂ. નેમિમુનિના ગુરુભાઈ શ્રી. મુનિસમદર્શીજી વગેરેને શિબિર પ્રવચન વાંચ્યા પછી આ પ્રયોગ અંગે ઉત્સુકતા પૂર્વક જાણવાની તાલાવેલી જણાતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com