SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી છે. આર્થિક-વ્યાપારિક ક્ષેત્રમાં, વેપારી, મજૂર, ઈજનેર, કારખાનાદાર, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્ર કે આયોજન–શાસ્ત્રો વગેરે બધાને પ્રબળ સ્મૃતિ હેવી ફાયદાકારક છે. સ્મૃતિને વિકાસ આ બધા માટે વરદાન રૂપે સિદ્ધ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તે સાધક માટે પ્રતિપળ સમૃતિની જરૂર છે. તે જે પ્રવૃત્તિ કરે છે તેમાં ડગલે ને પગલે એ યાદ રાખવાની જરૂર રહે છે કે તે આત્મભાન તો ચૂકતો નથી ને? જગતના બધાયે આત્માઓ માટે અને પિતાના આત્મા માટે તેની પ્રવૃત્તિ અહિતકર તે નથી ને ? આ પ્રવૃત્તિમાં ક્યાંક, આસક્તિ, અહંકાર, રાગદ્વેષ વગેરે દેષા તે પસી જતાં નથી ? આવું પ્રતિક્ષણ યાદ રાખવું આધ્યાત્મિક સાધક માટે જરૂરી હોય છે. એટલે જ ઉપનિષદમાં એક ઋષિ પોતાના શિષ્યને ચેતવે છે – # સ્તો ! આશd, મરાં ! હે ક્રતુ. કરેલા કાર્યને સ્મર ! કરેલા કાર્યને સ્મર ! એટલે જ પ્રત્યેક સાધક, ગૃહસ્થ કે મુનિ, પ્રાત:કાળે ઊઠીને એ જ સ્મરણ કરે છે – कि मे कडं ! कि मे किच्चसेसं ! किवा सककं न समायहामि –“મેં શું કર્યું છે શું કરવાનું બાકી છે ? કયું શક્ય કાર્ય હું ન કરી શકે?” તે ઉપરાંત દિનચર્યામાં પણ પ્રતિક્ષણ જાગૃત રહેવા માટે સ્મૃતિ-વિકાસ આવશ્યક છે. સાંજની સંધ્યા ( કયા)માં કે પ્રતિ ક્રમણમાં સાધક એ જ યાદ કરે છે કે મેં કેટલા ગુણ વધાર્યા અને અને કેટલા દે? પાપ-પુણ્ય બન્નેમાં કયું પાસું વધારે નપું ? મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભ યોગનું તે પ્રતિક્રમણ કરે છે એટલે યાદ કરીને, દે ને દૂર કરીને ગુણેને પ્રહણ કરવા તત્પર થાય છે. જે સ્મૃતિ-વિકાસ વધારે થા હેવ તે સાધનામાં વધારે જાગૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy