SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્ચા-વિચારણું શ્રી માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “દેશમાં વ્યક્તિગત સાધનાની માન્યતા બંધાવવાનું કારણ મારા મત પ્રમાણે આ છે કે લેકે એમ માને છે અને સમજે છે કે કર્મ વ્યકિતગત બંધાય છે અને કર્મથી છૂટકારો મેળવવો હોય તો મૂળે વ્યકિતગત સાધના જરૂરી છે. એને બદલે, વ્યક્તિગત કર્મોની જેમ સામુદાયિક કર્મો પણ હોય છે અને તે માત્ર વ્યક્તિગત સ્કૂલજ નહીં, સામુદાયિપણે સૂક્ષ્મ, ધૂળ અને નૈતિક રીતે હોઈ શકે એ વાત ગળે ઉતારવામાં આવે તે તે કર્મોના ઉકેલને પુરૂષાર્થ સામુદાયિક થવાનું સરળ થઈ જાય. પ્રથમ આપણે સામાન્ય દાખલાથી જોઈએ. ચાને હાલ પીનાર જરાક ઊંડો વિચાર કરે તે ચાના બગીચામાં મજૂરી કરનાર મજુરને; શેરડીનાં ખેતર, સાકર બનાવવાનાં કારખાનાં વગેરે બધી વાતનો તેને ખ્યાલ આવી શકશે, જેમ દિવાસળીમાં, ગંધક, લાકડાં; તેમ ગ્યાસતેલમાં ઈરાનના તેલના કુવા એમ દેશ–પરદેશ તથા ત્યાંનાં માણસોને શું ફાળો છે તે તરત ખ્યાલમાં આવશે. દૂધને વિચાર કરતાં, ગોવાળ અને ગાયો વગેરેના સવાલ જોડાશે. એવી જ રીતે આસામનાં તોફાન, મુંબઈ-ગુજરાતનાં તોફાન, હિંદુ-મુસ્લિમ હુલ્લડે એમાં આખેને આખો સમૂહ કામ કરતો હોય છે મન આંદોલન ઝીલે છે અને સામુહિક વેર અને સામુહિક ક્રોધનાં અદાલને પડે છે. એવી જ રીતે સરખી તરફ સમુહ વળે તો સામુદાયિક રીતે પુણ્ય દાન વગેરે મનમાં જાગે છે. કચ્છ પુના વિ. ની હોનારત વખતે આખા દેશને દાન-પ્રવાહ તે તરફ વળે છે. વ્યક્તિને સમુહ સાથે સંબંધ આમ રહે છે. એક વ્યક્તિ કાપડમાં “ઓન ” કરે છે તે આખો સમુદાય એમાં ઘસડાય છે. સંયયુગે સંપર્કો વધારી મૂક્યા છે. તે અગાઉ આટલા લાંબા પહેળા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy