SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પિલિસને ગોળીબાર કરવું પડે તો તેને વિરોધ કરતા હોય છે. હવે રાજ્યને તે પ્રજાના જાનમાલનું રક્ષણ સોંપવામાં આવ્યું છે. એટલે જે આ લોકો સરકાર ગોળીબાર ન કરે એમ ઇચ્છતા હોય તો તેમણે દાંડ-ગુનહેગાર કે અનિષ્ટ તો માથાભારે ન થાય તે માટે નૈતિક સામાજિક દબાણ લાવું જોઈએ અને તેમને જાનમાલને નુકશાન પહોંચાડતાં અટકાવવા જોઈએ. આવા નૈતિક સામાજિક દબાણવાળા અહિંસક પ્રતિકારને શુદ્ધિ પ્રેમ આપણે કહીએ છીએ. એટલેજ દ્વિભાષી રાજ્યને તોડવા માટે જ્યારે ૧૯૫૬ માં મહાગુજરાત જનતા પરિષદ દ્વારા તોફાન થયું; પત્થર મારો કરાયો ત્યારે તે મહા હિસાને નિવારવા માટે આપણે જનસંગઠનની અહિંસક ટુકડીઓ મોકલી સક્રિય પગલાં લીધાં; શાંતિ સ્થાપવા માટે શાંતિ સૈનિકોને મોકલ્યા અને આ તોફાની લોકોને વખોડવા માટે તથા જનતાને સાચી વસ્તુ સમજાવવા માટે નિવેદને બહાર પાડ્યાં. તે વખતે સર્વોદયી લેકેને ગળે આ વાત ઊતરતી ન હતી. એક વર્ષ પછી સંત વિનોબાજી ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું: “પ્રજાના પત્થરમારા કરતાં સરકારની ગોળી અહિસાની વધુ નજીક છે. કારણ કે પ્રજાને પત્થરમારો કરવાનો અધિકાર કોઈએ આ નથી જ્યારે પ્રજાની જાનમાલની સુરક્ષા માટે પરવાને પ્રજાએ સરકારને આપેજ છે.” એટલે સામુદાયિક અહિંસા પ્રયોગમાં લાવવામાં આવતું દબાણ મોટી હિંસાને અટકાવવા માટે નાની અને સૂક્ષ્મ હિંસા હેઈને મ્ય ગણું છે કારણ કે તે અહિંસા–લક્ષી હોય છે. કેટલાંક ઉદાહરણે આને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે ચેડાંક ઉદાહરણે લઈએ. પહેલો પ્રસંગ રામને છે. રામ વાલીને મારે છે ત્યારે એથે રહીને બાણ મારે છે. કારણ કે તે નાનાભાઈ સુગ્રીવની પત્નીને ઘરમાં રાખીને બેઠા હતા. રામચંદ્રજી માટે બાહ્ય હિંસા કરતાં સંસ્કૃતિનો નાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy