SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ગુરુ ગોવિંદસિંહે આખી કેમના રક્ષણ માટે બે છોકરાઓ સેપ્યા. બાદશાહે તેમને મુસલમાન થવાનું કહ્યું પણ તેઓ ન માન્યા એટલે બન્નેને જીવતા દિવાલમાં ચણી દેવાને આદેશ આપ્યો. નાનાભાઈ પટેલે ચણાયો એટલે મોટાભાઈની આંખમાં આંસુ આવ્યા. તેની પાલક માએ કહ્યું “બેટા! બલિદાનમાં રડવું શું?” મોટાએ કહ્યું: “મરવામાં નાનાભાઈ પહેલે થઈ ગયો તેનું મને રડવું આવે છે.” બને બાળકની બલિદાનની ભાવનાને જીવંત નમૂને જોઈને ત્યારબાદ કોઈ બાદશાહે શીખ ઉપર જુલમ ગુજારવાની હિંમત ન કરી અને શાંતિ સ્થપાઈઆમ શાંતિ માટે પ્રાણુતિ આપવી પડે તો હસતે મેએ આપવી પડે છે. બટેડ રસેલ અને શાંતિની વાતો: આમ દેશ-વિદેશોમાં ઘણું વ્યક્તિગત આંદોલન થયાં છે. બટ્રેડ રસેલ જેવાએ તાજેતરમાં “અણુબોમ બંધ કરવાની ” શાંતિવાદી ઝુંબેશ ઉપાડી હતી પણ એમાં સંસ્થાને અનુબંધ નથી. વ્યક્તિઓ ઘણી ભળી છે, ઘણું સહીઓ થઈ છે પણ વ્યક્તિઓના સરવાળાથી કંઈ સક્રિય થતું નથી; ઘડતર પામેલી વ્યક્તિઓ તૈયાર થાય તો જ શાંતિનું આંદોલન જગાડી શકે, વગર ઘડાયેલા લેકે કે તેમની શાંતિસેના તૈયાર કરવાથી કઈ પણ કાર્ય સરતું નથી. જનતા સાથે શાંતિ સેનાનું સંક્લન : આના સંદર્ભમાં મને એક વાત યાદ આવે છે. મારું ચોમાસું ધોળકા હતું અને સન ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓના તફાન વખતે મોરારજીભાઈ ઉપવાસ કરી રહ્યા હતા. ત્યારે મને થયું કે સર્વપ્રથમ મારી ઉપવાસ કરવાની ફરજ છે. તે છતાં પણ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિની કઈ વ્યક્તિએ ઉપવાસ કરવાની જરૂર હતી. તેના બદલે એક કાગ્રેસી અને સરકારી હેદાર (મુંબઈના મુખ્ય પ્રધાન) રૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy