SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કોંગ્રેસ-વિરાધી પણ હતા. આ બધાને ટાળવા પડ્યા. એક માણસ શુ.પ્ર.ની પત્રિકા લેવા આવ્યો અને કહે કે મારે તે લોકોને વિરોધ કરવો છે. કાર્યકરને ખબર પડી ગઈ એટલે કહ્યું કે પત્રિકા નહીં આપું. આટલી બધી કાળજી રાખવા છતાં ક્યારેક દાંડાઈને ટેકે મળે તેવું વર્તન અજાણે કેટલાક લેકે તરફથી થઈ જાય છે. તે વખતે પ્રાયોગિક સંવવાળાઓની સભા હતી. અન્યાયપક્ષી લેકને રદીયે અપાઈ રહ્યો હતો, તે વખતે મણિબેન પક્ષવાળાઓ વિરોધ કરવા લાગ્યા. એટલે સભાજનો પૈકી કેટલાક ઉશ્કેરાઈને તેમને ઘેરી વળ્યા. ખેંચાખેંચ શરૂ થઈ. પ્રાયોગિક સંધના કાર્યકરો ત્યાં પહોંચી ગયા અને તેમને છોડાવ્યા. તે છતાં તેમણે બહાર જઇને ઊંધે પ્રચાર કર્યો કે પ્રાયોગિક સંધવાળાઓએ અમારા ઉપર હુમલો કરાવ્યો. તેવા પ્રસંગે પણ વિરોધરૂપે ભાષાની હિંસા ન થાય તે ધ્યાન રાખવું રહ્યું. સાળંગપુર શુદ્ધિપ્રયાગ વખતે પણ આવું બનેલું. મંદિરવાળાઓ ઉપર જાસાચિઠ્ઠી આવી એટલે તેમણે પ્રચાર કર્યો કે ખેડૂત મંડળવાળાનું એ કામ છે. સરકારે તપાસ કરાવી પણ ખોટું નીકળ્યું. જ્યાં પવિત્ર યજ્ઞ થતાં હોય ત્યાં સ્વાર્થી હિતવાળા કેવિનસંતોષીઓ અડચણ નાખવાના જ. એ વખતે વિચાર કરી ર્યા વગર કાળજીથી કામ લેવું જોઈએ. અનુબંધ હવે જોઈએ: પાંચમું તત્ત્વ ઘણું અગત્યનું છે. તે છે શુદ્ધિપ્રયોગમાં અનુબંધની કાળજી રાખવાનું. અનુબંધ એટલે, શુદ્ધિપ્રયોગ કરતાં, રચનાત્મક કાર્યકરોને કે ન હોય, કેગ્રેસને ટકે ન હોય, લોકસંગઠનેનો ટકે ન હોય, તો ભલે સંસ્થાગત પ્રયોગ થાય પણ તેમાં પૂર્ણ સફળતા મળશે નહીં ! કદાચ મળે તે તેની અસરકારકતા નહીં રહે. સાણંદના પ્રયોગમાં આવું જ થયેલું. ત્યાં પ્રિય નેમિમુનિ એક કાંતિપ્રિય સાધુ તરીકે ગયા; પ્રાયોગિક સંઘ જેવી ૨૦ કાર્યકરની સંસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy