SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાની કારણકે વ્યક્તિગત જીવનસાધનામાં ધૂળ અને સૂક્ષ્મ બન્ને પ્રકારની અહિસા સુશક્ય છે, તે સમુદાયગત જીવનસાધનામાં સશક્ય નથી.” છતાં જ્યાં સમુદાય વર્ષોથી ત્યાગ-તપ-નીતિમય આચાર વગેરેથી ઘડાયેલે છે, તથા છેલ્લે જ્યાં આધ્યાત્મિક સંત વિભૂતિઓની જાગતી ચૂકી છે, ત્યાં તો સમુદાયગત અહિંસામાં પણ સૂક્ષ્મ અને સ્થૂળ બન્ને પ્રકારે સારી પેઠે જળવાય છે. કમમાં કમ બન્ને પ્રકારે સારી પેઠે વિકસે છે, તેમાં તે ના પાડી શકાય તેમ જ નથી.” આથી જેમ આપણે હાઈસ્કૂલના શિક્ષણને કોલેજના કે પ્રાથમિક શિક્ષણના વિરોધી તરીકે ગણતા નથી, પણ વિકસતો ક્રમ લેખીએ છીએ. તેમ જે રાજકીય અહિંસામાં જરૂર પથે સસ્ત્રની છૂટ હોય, પણ રાગદ્વેષ ઘટાડાના ધ્યેય સાથે હોય! તેમ સામુદાયિક સામાજિક અહિંસામાં ગુનેગારની સમાજપ્રતિષ્ઠા તોડવી તે પૂરતી ધૂળ હિંસા (વાસ્તવિક રીતે તે સ્થળ દબાણ જ કહેવાય, તે) ક્ષમ્ય હોય, પણ શારીરિક કે આર્થિક દબાણ પ્રાયઃ ત્યાજ્ય લેખાવાં જોઈએ. ટૂંકમાં રાગદ્વેષને ઘટાડે અને શસ્ત્ર ઘટાડે તેમાં વધુ સહજ હેય. આટલું જે ક્ષમ્ય માની આગળ ન વધીએ, તે વ્યક્તિગત અહિંસા પૂરતી અહિંના સીમિત બની જાય. એટલું જ નહીં સમુદાયોમાં તો હિંસા (સૂક્ષ્મ અને પછી તે સ્થળ પણ) વધતી જ જાય. કારણ કે નાનાથી માંડી મોટા લગીના કોઈ પણ માનવની એ તે સામાન્ય ફરજ છે જો કે, તેણે જેમ કેઇને જાતે અન્યાય ન કરવો જોઈએ તેમ કોઈ વ્યક્તિ, કોઈ સમૂહ કે કોઈ રાષ્ટ્ર બીજને અન્યાય કરી રહ્યાં હોય તો તેના નિવારણ માટે સતત પ્રભાવશીલ રીતે મથવું જ જોઈએ. આમ જે નથી કરતો તે માનવ ગમે તેટલે મેટો સંત કહેવાતો હોય તો યે હજુ સાચે માનવ બન્યું નથી તેમ માનવું રહ્યું. આ દષ્ટિએ જોતાં સામુદાયિક અહિંસાના પ્રાગનું આચરણ સર્વત્ર જરૂરી બની જાય છે. તે કયાં અને કેવી રીતે કરવું? અનુબંધિત તો તેમાં કયાં કયાં જોઈએ? વગેરે વિવરણ વાચકે આ પ્રવચને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy