________________
યા છે, એમ દેખાય છે; પણ બુદ્ધ અને મહાવીરના યુગ બાદ સન્યાસીઓને પ્રભાવ રાજ્ય ઉપર અને રાજ્યને પ્રભાવ પ્રજા ઉપર ઘણો ઊડે પડ્યા છે.
રામયુગમાં રામ શબરીને ત્યાં ગયા; કૃષ્ણ વિદુરને ત્યાં ગયા; એ ગરીબી અને સાધુતાની પ્રતિષ્ઠા બતાવે છે. મહાવીર- બુદ્ધના કાળમાં શ્રેણિક રાજા પુણિયાને ત્યાં આધ્યાત્મિક ભાવનાના ભિક્ષક તરીકે ગયા હતા. આ બધા દાખલા સંત સંસ્કૃતિનું પ્રાધાન્ય બતાવે છે. સંત સંસ્કૃતિ હમેશાં ગરીબ, દલિત અને પતિતની પડખે જઈ તેને શુદ્ધતા અપ પ્રતિષ્ઠિત કરાવે છે. તેથી જ અહીં અહલ્યા જેવી પતિત સ્ત્રીને ઉદ્ધાર થઈ શકે છે. અને તે સતી કહાવે છે. આ તાકાત રાજ્ય કે બીજામાં ન હોઈ શકે તેથી જનતા રાજાઓને નથી નમતી પણ સતેને નમે છે.
(૧૭-૭-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com