SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શકે તેવી બીજા ધર્મ ઉપર આવે ખરી! અને તે યોગ્ય ગણાય કે કેમ? પોતાની મા ઉપર જેટલા પ્રેમ આવે તેટલો બીજાની મા ઉપર આવે ખરે?” ઉત્તર સાર: “મુસિલમ કુટુંબે પ્રાર્થના કરે કે હિંદુઓ નમાજ ભણે અથવા મુસલમાનો ફરાળિયા ઉપવાસ કરે કે હિંદુઓ રજા કરે એ અનિવાર્ય નથી. તેવી જ રીતે નામે પણ બદલવાની જરૂર નથી. જરૂર છે ઈસ્લામને હિંદુઓ પતીકે ગણે અને મુસિલમે હિંદુધર્મને પિતાનો જ માને. ગાંધીજી કેવળ સર્વધર્મની વ્યાસપીઠ લઈને નહોતા ચાલતા. એમની મુખ્ય વ્યાસપીઠ તે કાળને અનુરૂપ સર્વરાષ્ટ્ર એજ્ય હતું. રામકૃષ્ણ પરમહંસ વખતે હું કામ તે થયું હતું. પણ તે અગાઉ ઔરંગઝેબ અને નાદિરશાહની પ્રત્તિઓને લીધે હિંદુ-મુસ્લિમ ઘર્ષણ વધ્યું હતું. તેની અગાઉ કબીર, રહીમ અને સૂફી સંતના પ્રચારને લીધે એકતા વધેલી. હવે વિજ્ઞાન, રાજનીતિ અને જગતની પ્રજાનું લોકમાનસ જોતાં આ એકતા જલદી આવી શકે તેમ છે; પણ આ માટે સહુને પિતપોતાના ધર્મનું પાલન કરવું એજ બહેતર છે. તેમાં જ એમણે સંશોધન કરવું પડશે જેને સમાજવાળા જ વિરોધ કરશે. તેમજ બીજા ધર્મવાળા તો વહેમાશે પણ ખરા. પણ, અંતે સત્ય બહાર આવશે. યુગ તે અનુકુળ છે. બાકી, સર્વધર્મ ઉપાસનાના એક ગેળ મદરની કલ્પના પણ છે, તેમાં ફરતા સાત ઓરડા, સાત ધર્મના હેય. દરેક ધર્મવાળા પિતપિતાના રૂમમાં ઉપાસના કરે. પણ, એક રાત એવી હોય કે સાતે વિશ્વ વાત્સલ્ય કે મૈયાની સાથે ઉપાસના કરે. આ. સાતે ઓરડામાં સાતે ધર્મનાં પુસ્તક અને ઉપાસનાનું વાતાવરણ હેય. ઈસ્લામમાં માંસાહારના બદલે નિરામિષાહાર, અનેક પત્નીઓના બદલે સંયમલક્ષી ત્યાગ કે ગૃહસ્થાશ્રમ, ધર્મઝનૂનવાળા રાજ્યને બદલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy