SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] ખ્રિસ્તી ધર્મના ઊંડાણમાં-૨ [ આ પ્રવચન પૂ. મુનિશ્રી સંતબાલજીની ૫૮ મી જયંતિના દિવસે આવતું હોઈને જયંતિના અન્ય પ્રવચનો થયાં હેઈને અન્ય પ્રવચની અપેક્ષા સંક્ષિપ્ત છે. સં.] ખ્રિસ્તી ધર્મ અંગે આપણે વિચાર કરી ગયા કે તેમણે કેવા સંજોગોમાં કેટલા વિરોધ વચ્ચે પણ માણસ માણસ વચ્ચેના ભેદભાવ દુર કરવાને પ્રચંડ પુરુષાર્થ કર્યો. એ માટે તેમને પોતાનું બલિદાન પણ આપવું પડયું. પિતાના ધ્યેયની સિદ્ધિ માટે જગતના મહાપુરૂષ હંમેશા પિતાને પ્રાણ પણ હેડમાં મૂકે છે. જો કે તેમનું બલિદાન વ્યર્થ જાતું નથી. ઇશું ક્રોસ ઉપર ચઢી ગયા. લોકો રડતા હતા. ત્યારે તેમણે કહ્યુંઃ “ હું મરતા જ નથી. તમે આનંદ પામે !” કહેવાય છે કે એથે વરસે તેઓ પાછા નવારૂપે આવ્યા. ખ્રિસ્તીધર્મ તરફ લોકોની શ્રધ્ધા વધવા લાગી. પચાસમે વરસે તો ખૂબ જ વ્યાપ્તિ થઈ ગઈ. તે વખતે પિલ નામને પ્રખ્યાત શિષ્ય થયા. તેણે ખ્રિસ્તી ધર્મને સારો એવો પ્રચાર કર્યો. ત્યારબાદ બીજા નાના નાના ધર્મગુરુઓ ઘણું થયા. જેન, લૂક, ભાથી, અને સ્માર્ટ વગેરે એજ પરંપરામાં આવે છે. આ લોકોએ ધર્મસિધ્ધાંતોને આવરી લેતી ઘણી સુંદર ધર્મકથાઓ લખી છે. ચાર વર્ષ બાદ ટેલીમેકસ નામના સાધુ થયા. તેઓ એકાંત ગુફામાં જ રહેતા. તે વખતે રોમ નગરની અંદર કોલેજિયલ મેદાનમાં રાજા ઓમેરિયસ મલયુધ્ધ ખેલાવતા. હજારે કે તેને જોવા આવતા. પણું ઘણું જાન-હાનિ થતી. તે ટેલીમેકસે અટકાવી. ઈસાઈ ધર્મમાં મોટું પરિવર્તન ૧૬ માં સૈકામાં આવ્યું. ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy