SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આ અંગે લોકોને સંગઠિત કરવા માટે સાધુસંસ્થાનું માર્ગદર્શન ઘણું જરૂરી છે.” ભજનિકને પણ આ માર્ગે પ્રેરવાઃ શ્રી. પૂજાભાઈ: “મને સાધુસંસ્થાની ધડ નહાતી બેસતી તે હવે બેસી ગઈ છે. પણ હમણું અર્ધસાધુ જેવા ભજનિકો વધી રહ્યા છે. તેમના તરફ પણ ઘણાં લોકો ખેંચાય છે. જે તેઓ પણ આ માર્ગે પ્રેરાય તે ઘણું સારું થાય. એક ભજનિકના સહવાસમાં હું આવેલા તેમને બંગલો વૈભવ જોઈ મને થયું કે સમાજ તેમને કેટલું બધું આપી દે છે?” એકવાર તેમના દર્શને ગયેલો ત્યારે તેમને મૌન હતું પણ પાને રમતા હતા. મે પૂછ્યું કે “શું કરે છે ?” તે કહે કે “મૌન છે એટલે મઝા કરીએ છીએ.” આવા ભજનિકો વાકપટુતા અને લોકમરંજના કારણે ઘણાને આકર્ષે છે પણ જો તેમાં જીવન-શુદ્ધિ અને લોકકલ્યાણની માર્ગદર્શક ભાવના ભરવામાં આવે તો ઘણું સારું કામ થઈ શકે. માટી મૂડી! શ્રી. બળવંતભાઈએ સાધુસંસ્થાની ઉપયોગિતા અંગે ઘણું વિચારવા અંગે કહીને કહ્યું: “સાધુસંસ્થા નહીં ચેતે તો તેનાથી વિમુખ થઈ ગયેલા લોકો વધતા જશે પરિણામે સાધુ સંસ્થાનું ભવિષ્ય સમયસર ન ચેતતાં સારું નહીં રહે! મને તે એની હાલની સ્થિતિ જોતાં ઉપયોગિતામાં શંકા જ રહે છે !” શ્રી દેવજીભાઈ: “મને તે એ દેશની મોટી મૂડી લાગે છે. તપ-ત્યાગ સંસ્કારમાં ઘણું છે તેમજ મોટા સાધુ-સાધ્વીઓ વિચારતાં થયા છે એ શુભચિન્હ છે. જ્યારે તેઓ ખરેખર માર્ગદર્શનના કાર્યક્રમ ઉપર આવશે ત્યારે બહુ જલદી રાષ્ટ્રની કાયાપલટ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com વધતા જેતા જન ચેતતા
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy