SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આપણે આપણું કરીએ” એવી બેદરકારીમાં ભૂલ કરી બેસે છે. ત્યારે એમને તે કેવળ સર્વાગી દષ્ટિવાળા સાધુઓ જ કહી શકે; નહિંતર વિરોધી પક્ષે તો દેશમાં અરાજકતા ફેલાવવાની વાટ જોઈને બેઠા જ હોય છે.. આજે નાની વાતોમાં વિરોધ પક્ષ ધારાસભામાં સભા મોકુફીની દરખાસ્ત રજૂ કરે છે. વિષય એક નર્મદામાં હેડી અથડાઈ અને ૮૦-૮૫ માણસો ડૂબી ગયાં. એમાં પણ સરકારને દોષ! અને સરકાર પણ એવી કે પિતાના અભિમાનમાં કોઈનું સાંભળે નહીં. અમૂક નૈતિક બળ મદદગાર છે જાણવા છતાં રખે એ જ બીજાને જાય એ માટે પણ ખેટી હઠ કરે. વિકાસના તબક્કામાં પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન, અમલદાર લાંચ ન લે, કે ટ્રેકટર દિગપ્રપંચ ન રમે કે લાગવગને ઉપગ ન થાય એ જોવું જરૂરી છે. જેથી પ્રજાનાં નાણુંને અપવ્યય અટકે. આ બધાં કામે સાધુ સંસ્થા અટકાવી શકે. એટલે તેણે નિષ્ક્રિયતા અને જરૂઢિને ફગાવી ક્રાંતિપ્રિય બની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં પિતાની ઉપયોગિતા સાબિત કરવા બહાર પડવું જોઈએ, એ વિષે ભાગ્યે જ મતભેદ હોઈ શકે!” કેઈકને ટેકે તે આપવો જ જોઈએ: શ્રી. દેવજીભાઈ: “એક સુવિદિત સાધુના શિષ્ય કચ્છમાં આવેલા ચર્ચા દરમ્યાન મેં કહ્યું કે રાજકારણ વિના નહિ ચાલે, એમ આપ કહે છે અને આપ કોંગ્રેસને પણ નિષેધ છે, જનસંધ અને સામ્યવાદીને અધર્મી કહે છે તો પછી મત કોને આપવા ? તેઓ જવાબ ન આપી શક્યા. ત્યારે મેં તેમને રાજકારણમાં અમારે શા માટે કોંગ્રેસને ટેકો છે અને કયાં વિરોધ છે તે અનુભ વડે બતાવ્યું. અનુબંધ વિચારધારા સાથે સંતબાલજીનું નામ જોડાયેલું ઈને ભડકે ! પણ મને શ્રદ્ધા છે કે જ્યારે તેઓ સમજશે તો એક નવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy