SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એ સર્વથા સ્વાભાવિક છે. “વા રાણા તથા પ્રા” ની ઉક્તિ અત્રે તે પિતાનું મૂર્તરૂપ ધારણ કરી રહી હતી. એ સમયમાં આજના જેવી ગ૭ના નામે સાઠમારી નહોતી. માત્ર ગુણેની પૂજા કરવામાંજ મનુષ્યો પિતાનું કર્તવ્ય માનતા હતા. કોસુકવશ કેટલાક તુરુષે પણ ગુરૂમહારાજ પાસે આવવા લાગ્યા, તેઓ પણ આપની નિષ્પક્ષપાતપૂર્ણ વાલી અને બહુશ્રુતતા જોઈને ચમત્કૃત થઈ ગયા, શ્રાવકે પિતાના શાસનની વિશેષ પ્રભાવનાનું તત્વ સમજી નવાં નવાં મિષ્ટાન્ને યુક્ત સ્વામિકવાત્સલ્ય કરવા લાગ્યા અને સામાયિકાદિ ધર્મસ્થાન તથા તપશ્ચર્યાને પણ સારો ઠાઠ જામે. ચોમાસું સકિટ આવવાથી સૂરિજી મહારાજ ત્યાંથી વિહાર કરી પુનઃ દેવરાજ પુર આવ્યા. બહુ સારા સ્વાગત સાથે શ્રીયુગાદિ દેવનાં દર્શન કર્યા. સં. ૧૩૮૬નું ચોમાસું અહીં જ યાપન કર્યુ. સંવત ૧૩૮૭માં શેઠ નરપાલ, આંબા, લાખણ, વીકલ વિગેરે ઉચ્ચનગરના શ્રાવક વૃદની વિશેષ આગ્રહભરી અભ્યર્થનાથી બાર ઠાણ સહિત ત્યાં પધાર્યા અને એક માસ પર્યત નિવાસ કર્યો, પરશુરારકેટ નામક ગ્રામ નિવાસી શાહ હરિપાલ રૂપ, આસા, સામલ ઈત્યાદિ શ્રાવક સંઘના અત્યાગ્રહવશ ઉચ્ચનગરથી બહેળા શ્રાવક સમુદાય સાથે વિહાર કર્યો. માર્ગમાં આવતાં અનેક ગામના જૈનેની વંદના સ્વીકારતાં ક્રમશઃ પરશુરારકેટમાં ભવ્યતમ સમારોહ પૂર્વક પ્રવેશ કર્યો, વિવિધ ધાર્મિક કૃત્યે થયાં. અત્રેથી વિહાર કરી બડિરામપુર પધારી ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યા અને પૂર્વવત્ મહતી શાસન પ્રભાવના કરી, ત્યાં થોડા દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy