SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું, ત્યાં છ દિવસની સ્થિરતા કરી, તે દરમ્યાન છએ દિવસ સ્વધર્મિવાત્સલ્ય, અવારિત દાનશાળા એવ સંઘપૂજાદિનાને પ્રકારના પુણ્ય કાર્યો નિરંતર થતાં રહ્યાં. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી કયાસપુર આવતાં રસ્તામાં ખાવાડન નામના ગામમાં પધાર્યા, ત્યાંના શ્રાવકે એ પણ બહુ સમારોહથી પ્રવેશોત્સવ કરાવ્યું, ત્યાં માત્ર એકાદ દિવસની સ્થિરતા દરમ્યાન પણ આમ જનતા ઉપર સૂરીજી મહારાજના ઉપદેશનો પ્રભાવ સારામાં સારે પડે, એટલે જન સમાજમાં ધર્મભાવનાની જાગૃતિ સારી થઈ. ત્યાંથી વિહાર કરી ક્રમશઃ કયાસપુર આવ્યા. સ્થાનીય શેઠ મેહુણ, ખીમસિંહ, નાયુ, જટ આદિ શ્રાવક સમુદાયે પિતાના સ્વામી મુસલમાન નવાબ તથા શાક ચાચિગ આદિ ઉપકેશગચ્છીય ગૃહસ્થને સાથે લઈને સૂરિજી મહારાજને એ ભવ્યતમ પ્રવેશત્સવ કર્યો, કે જે અંતિમ હિન્દુ સમ્રાટ શ્રીમાન પૃથ્વીરાજ ચૌહાણે વિ. સં. ૧૨૩માં શ્રીજિનપતિસૂરિજી મહારાજને દિલ્લીમાં કર્યો હતે. સૂરિજી મહારાજે સ્વહસ્તે પ્રતિષ્ઠિત શ્રીષભદેવ ભગવાનના અપૂર્વ ભાવે દર્શન કર્યા આ પ્રવેશત્સવના સમારોહે નગરજને ઉપર બહુ ઉંડી છાપ પાડી, તે લેકે સૂરિજી મહારાજના ચારિત્રપાલન એવં વિદ્વત્તા આદિ ગુણેની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા, કંવલા આદિ અન્ય ગચ્છના તેમજ વિપક્ષભાવ રાખનારાઓ પણ સૂરિજી મહારાજના ઉચ્ચતમ ચારિત્ર એવં અત્યુત્તમ જ્ઞાન ધ્યાનથી પ્રભાવાન્વિત થઈને આપશ્રીના પરમ ભકત બની ગયા, કેમ ન હેય? જ્યાં દેશના અધિપતિ જેને આદર પૂર્વક માનતા હોય તેને ત્યાંની પ્રજા પણ અતીવ સન્માનપૂર્ણ બષ્ટિથી જુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy